________________
૨૮
જૈન દર્શનને કર્મવાદ
થઈ ન શકે. જેથી ભુલાઈ ગયેલી અવસ્થામાં ક્ષપશમરૂપે તેના સંસ્કાર ટકી રહે છે તેને “વાસના ધારણા” કહેવાય છે. વાસનાના બળથી ભૂલાઈ ગયેલી વસ્તુનું પણ જ્યારે સ્મરણ થઈ આવે છે તેને “સ્મરણ ધારણું” કહેવાય છે. આ રીતે અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ એમ ત્રણ પ્રકાર ધારણામતિજ્ઞાનના છે. પૂર્વ ભવનું સ્મરણ એ ધારણા મતિજ્ઞાનને ત્રીજો પ્રકાર છે.
ઈહિ, અપાય અને ધારણા એ ત્રણે પાંચ ઈન્દ્રિય અને મન આશ્રયી છ છ પ્રકારે છે. એટલે ચાર પ્રકારે વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન, છ છ પ્રકારે અર્થાવગ્રહ ઈહ–અપાય અને ધારણામતિજ્ઞાન એમ કુલ ૨૮ ભેદ થયા. આ પ્રમાણે પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મન વડે થતા મતિજ્ઞાનના અવઝહાદિ તે, તે તે ઈન્દ્રિયના મતિજ્ઞાનને ઉત્તિ કેમ છે.
આ વ્યંજનાવગ્રહાદિ સ્વરૂપે વર્તતે મતિજ્ઞાનને ઉપગ ક્યારેક ધીમે ધીમે પણ વતે છે અને ક્યારેક ત્વરાએ પણ વતે છે. તેમાં ત્વરા અને મંદતાને આધાર વસ્તુના પરિચય અને અપરિચય ઉપર છે. ધીમે ધીમે પ્રાપ્ત થતા વ્યંજનાવગ્રહમાં પણ વધુમાં વધુ ૨ થી ૯ શ્વાસેચ્છવાસ લાગે છે. અર્થાવગ્રહમાં તો માત્ર એક જ સમય અને બાકીનાઓમાં અંતમુહુર્ત જ લાગે છે. ક્ષયે પશમરૂપે ટકી રહેલ વાસનાનું પ્રમાણ સંખ્યાતા અને અસંખ્યાતા ભવ સુધીનું હોય છે. તેથી જ તે જાતિસ્મરણજ્ઞાનરૂપે સંખ્યાતા અને અસંખ્યાતા ભવેની સ્મૃત્તિ થઈ આવે છે.