________________
૧૦
જૈન દર્શનનો કર્મવાદ
-
ક
વિક રીતે પણ લેવામાં આવે છે. અને તેથી જ એક પદાર્થના સ્વરૂપને ઈન્દ્રિ દ્વારા અનુભવતાં ચા કે અન્ય દ્વારા સમજતાં તે પદાર્થ સ્વરૂપને ખ્યાલ કેઈ સામાન્યપણે અને કેઈ અધિકાધિક પણે પામી શકે છે. વળી કેઈન મનુષ્યને તે પદાર્થને થયેલ ખ્યાલ ઘણા દીર્ઘ ટાઈમ સુધી પણ ટકી શકે છે, અને કોઈને અલ્પ ટાઈમ સુધી સ્મૃતિમાં રહી બાદમાં વિસ્મૃત પણ થઈ જાય છે. કોઈને વિસ્મૃત
યાલ પુનઃસ્મૃતિમાં આવે છે. વળી એક ભવમાં અનુભવેલ. પદાર્થના જ્ઞાનની સ્મૃતિ અન્ય ભવમાં પણ કેટલાક જીનેથાય છે. આ ઉપરાંત ઇંદ્રિયપ્રત્યક્ષ થયા વિના ઈદ્રિયોથી પર રહેલી કેટલીક વસ્કૃદિગુણયુક્ત રૂપી વસ્તુના સ્વરૂપને અનુભવવાની ચૈતન્યશક્તિ પણ કેટલાક જીવમાં હોય છે. આવી વગર જોયેલી અને વગર જાણેલી વસ્તુઓ વિષે સાચેસાચું બતાવી દેવાની જ્ઞાનશક્તિને અંગ્રેજીમાં “સિકસથસેંસ” એટલે છઠ્ઠી ઇંદ્રિય કહેવામાં આવે છે. તદુપરાંત આગળ વધીને કહીયે તો કેટલાક એવા પદાર્થો પણ જગતમાં વિદ્યમાન છે કે જે વર્ણ –ગંધ–ર–અને સ્પર્શ રહિત હોવાથી તે પદાર્થો મનુષ્યની નજીક યા બ્રહ્માંડમાં દૂર દૂર કયાંય પણું હોવા છતાં ઇન્દ્રિય પ્રત્યક્ષ થઈ શકતા નથી. તેમ છતાં તેવા પદાર્થોના સ્વરૂપને પણ જાણી શકનારા–અનુભવનારા એવા મહાન પુરૂષે જંગતમાં હોઈ શકે છે. તેવા પદાર્થોનું સ્વરૂપ તે તે આપ્તપુરૂષના વચનાનુસારે અબાધિત અંનુમાન દ્વારા આપણે સ્વીકૃત પણ કરીએ છીએ. આ રીતે પદાર્થ જ્ઞાનની પ્રાપ્તિની વિવિધતામાં તન્ય-જ્ઞાનગુણના વિકાસની.