SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મબન્ધના હેતુઓ તેથી વિરમે પણ નહિ. પરંતુ એક વ્યવહારિક દ્રષ્ટાંતથી આ હકિકત સમજાય તેવી છે. ઘરમાં વીજળી રાખનાર આખો માસ વીજળીને ઉપયોગ ન કરે છતાં કનકસન ચાલુ રાખે ત્યાં સુધી મેઈન ચાર્જતે વીજળી કંપનીને ભારે પડે છે. ભાડૂતી મકાન ખાલી કરી બીજા મકાનમાં રહેવા જવા છતાં ખાલી કરેલ મકાન ઉપરથી પિતાને કબજે ઉઠાવી લેવા પૂર્વક મકાનમાલીકને સુપ્રત ન કરે ત્યાં સુધી વિના ભેગચ્ચે પણ મકાનનું ભાડું મકાન માલીકને ભરવું જ પડે છે. આવાં તે વ્યહારીક દ્રષ્ટાંત અનેક છે કે વિના જોગવ્યે પણ ચીજ ઉપરને પિતાનો હકક ન ઉઠાવે તે તે ચીજ અંગેની નુકસાની જોગવવી જ પડે છે. પૂર્વભવોમાં વસ્તુના સંબંધ સમયે પણ કશ્રવનું કારણ તે વસ્તુ નહિં પણ વસ્તુ પ્રત્યેને રાગ હતો. એટલે વસ્તુ છેડવી પડી પણ વસ્તુ પ્રત્યેને રાગ નહિં છૂટયો હાવાથી કર્માશ્રવ ચાલુ રહે તેમાં કંઈ આશ્ચર્ય નથી. આ રીતે ભવાંતરમાં મનથી નહિ સિરાવેલ શસ્ત્રોઆદિ સામગ્રી વડે જગતમાં થતી હિંસાના પાપથી આ જીવને કર્મનો આશ્રય તો ચાલુ જ રહે છે. વળી વર્તમાનકાળે, પાપ પ્રવૃત્તિ થાય તેવાં કેટલાંક કાર્યોથી નિવૃત્ત હોવા છતાં પણ તે કાને અનુકુળ સામગ્રી અંગે પચ્ચકખાણ(શપથ) નહિં કરનાર જીવેનું અવિરતિપણું તો ચાલુ જ છે. કારણકે
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy