________________
પ્રકરણ ૮ મું સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ.
સ્થિતિબંધ –
મિથ્યાત્વાદિ હેતુઓથી જીવની ત્રણ ગરૂપ ક્રિયા વડે આત્માને વળગેલી કાશ્મણ વર્ગણ તે કર્મ તરીકે ઓળખાય છે. આ કાર્મણ વર્ગણ આત્માની સાથે ચોંટયા બાદ અમુક ટાઈમ પછી તેનામાં જીવ ઉપર જુદી જુદી અસર ઉત્પન્ન કરવારૂપ શક્તિ પ્રગટ થાય છે. અમુક પ્રકારની અસર જીવ ઉપર ઉપજાવવાના સ્વભાવનું પરિણમન તે તે કર્મવર્ગણામાં આત્માની સાથે બંધાતી વખતના સમયે જ થઈ ગયેલ હોવા છતાં તે અનુસાર તે અસર કર વાપણું તે અમુક ટાઈમ પછી જ તેનામાં પ્રગટ થાય છે. જીવ ઉપર જુદી જુદી અસર ઉત્પન્ન કરવા ઠરેલી શક્તિઓને અનુસરીને જ તે કર્મોનાં નામ પાડવામાં આવેલાં છે. કર્મશાસ્ત્રના અંધારણની રચનામાં આઠે કર્મના ૧૫૮ ભેદે તે પ્રકૃતિ ( જીવ ઉપર અમુક પ્રકારની અસર કરવા રૂપ સ્વભાવ) ને આશ્રયીને જ પાડવામાં આવ્યા છે.
દરેક સંસારી આત્માઓ અનાદિકાલથી જ્ઞાનાવરણચાદિ આઠે પ્રકારના કર્મથી બંધાયેલા છે. આ કર્મબંધનું