________________
પ્રકૃતિ બંધ
૨૭૫
* શ્રી સુધર્માસ્વામીજી, જે બૂસ્વામીજી, અને શ્રી કેશીકુમારને દુનિયાદારીના કોઈપણ વ્યવહારનું કામ ન હતું, છતાં તેમને “જ્ઞાતિસંપન્ન સંપન્ન કહેવામાં આવે છે. એ રીતે તેમની ઓળખાણ આપવામાં આવે છે, તેઓ ગણધર છે, ચૌદપૂવી છે, ચૌદ પૂર્વના રચનાર છે, એ વાત સાચી છતાં પણ તેમને “જાતિ સંપન્નાદિ કહેવામાં આવે છે, એ જ ઉચ્ચ ગોત્રનું મહત્વ સૂચવે છે. નીચ નેત્રવાળા આત્માઓને પાપના સંતાપને ખ્યાલ જ હોતું નથી. હિંસા–જૂઠ–ચેરી વગેરે મેટાં પાપની પણ પાપમાં તેમની પાસે ગણના નથી. હિંસા કરવી એ તે તેમને મન, રમત થઈ ગઈ હોય છે.
નીચ કુલમાં જન્મેલાઓ નીચ સંસ્કારવાળા હોય છે. ઉપરાંત વધારે ધૃષ્ટતા એ છે કે તેમની નીચતાને પણ તેઓ , ઉત્તમતા ગણાવે છે. આવા આત્માઓ આવતા ભવમ વધારે નીચા કુલમાં ઉત્પન્ન થાય છે. વળી ઉચ્ચ ગોત્રમાં જન્મ પામ્યા છતાં પણ જેને નીચત્ર ગમતું હોય એટલે કે નીચગોત્રને ચગ્ય સંસ્કારયુક્ત જીવન જેને જીવવું સારું લાગતું હોય, તેઓ અમૃતભર્યા પાત્રને અવગણું વિષથી ભરેલ પાત્રમાં મેં નાખવાનું કાર્ય કરી રહ્યા છે.
સબળાની સામે અહિંસાના ઓઠાથી બચનાર તથા નબળાને નીચતાથી મારનાર, મારવાનું માનનાર, મનાવનાર, તથા તેવું માનવા-મનાવવામાં અહિંસકપદને આડંબર