________________
-
-
.
.
.
..
.
-૧૯૪
જન દર્શનને કર્મવાદ ' ઉદય શરૂ થાય તે જીવ અરધુ સમ્યગ્દર્શન અને અરધું મિથ્યાત્વ એમ મિશ્રભાવને અનુભવ કરે છે, તેને મિશ્ર દર્શન કહેવાય છે. આ મિશ્રદર્શન તે માત્ર અંતર્મુહૂર્ત સુધી ટકી રહી ત્યારબાદ શુદ્ધપુંજને ઉદય થાય તે ક્ષયપશમ સમકિતની અને અશુદ્ધપુંજને ઉદય શરૂ થાય તે મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે.
' ઉપશમ સમક્તિના કાળની પૂર્ણતાએ શુદ્ધ કે અદ્ધશુદ્ધ પુજના દલિને ઉદય શરૂ નહીં થતાં અશુદ્ધપુજના દલિને ઉદય શરૂ થવાને હોય તો પ્રથમ છ આવલિકા પ્રમાણ ટાઈમ સુધી ફક્ત અનંતાનુબંધિ ચારે કષામાંના કઈ એક ક્રોધાદિનો ઉદય શરૂ થાય છે. આ છ આવલિકા સુધી સમ્યગુ, મિશ્ર કે મિથ્યાત્વ.દશામાંથી એકે દશા નહીં વર્તતાં ક્ષીર ખાધેલ મનુષ્યને ક્ષીરનાવમન ટાઈમે વર્તતા ક્ષીરના સ્વાદની માફક ઉપશમ સમકિતના વમનથી વર્તાતી સમ્યગ્દર્શનના સહેજ સ્વાદવાળી દશા જીવને વર્તે છે. તે ટાઈમે તેને સાંસ્વાદન દર્શન સમ્યકત્વ કહેવાય છે. આ સ્થિતિ તે ઉપશમસમ્યકત્વથી પડવા ટાઈમે જ પ્રાપ્ત થાય છે. છ આવલિકા સુધી આ પ્રમાણે સાસ્વાદન દશા ટકી રહી, પછી જીવ મિથ્યાત્વ જ પામે છે. ક્ષાપશમિક સમક્તિથી મિથ્યાત્વે જતા જીવને સાસ્વાદનપણું હોઈ શકતું જ નથી. અનાદિ મિથ્યાત્વી જીવને પહેલવહેલું ઉપશમ સમકિત પ્રાપ્ત કરી ત્યાંથી મિથ્યાત્વે જતાં અગર ઉપશમ શ્રેણિથી પડતા જીવને ઉપશમસમકિતથી પતિત થઈ મિથ્યાતે જતાં સાસ્વાદનપણું હોય છે.