________________
આ પ્રસ્તાવનામાં દરેક પ્રકરણનું વિશેષ વિવરણ કરવા જતાં, ઘર કરતાં બારસાખ મોટું થવા જેવું થશે, એટલે ટુંકમાં દરેક પ્રકરણે મનનીય છે. ખરી રીતે આસ્તિક માત્રને કર્મવાદનું જાણવું અનિવાર્ય છે. આત્માને પિતાની પ્રત્યેક પ્રવૃત્તિમાં સાવધાની રાખનાર અને માર્ગદર્શક આવા ગ્રથનું પઠન પાઠન આર્યકુલામાં જરૂરી છે. અજ્ઞાનતાથી જાણે અજાણે કેટલાય પાપકર્મો બંધાઈ જાય છે, જેનાં મહાકટુ ફળ જીવને અનેક ભવ સુધી ભોગવવી પડે છે. આ ગ્રંથ પ્રવૃત્તિમાં વિવેક લાવનાર અને ઉપકારક છે જેથી પ્રત્યેક ઘરમાં હોય તે કુટુંબમાં પણ જાગતી રહે.
હલકી કેરીની આધુનિક નોવેલેના શેખને છેડી ગુણાનુરાગી જેને જૈનેતર કર્મવાદના આ પુસ્તકને પિતાની અને સાર્વજનીક લાયબેરીઓમાં સ્વદ્રવ્યને સદ્વ્યય કરી સંગ્રહિત કરશે તે સ્વપરના ઉપકાર માટે થશે. આપણું જન શ્રીમંત, કર્મવાદ જેવા ગહન વિષયને સરલ ભાષામાં સમજાવતા આ ગ્રંથની પુનરાવૃત્તિઓ પુનઃ પણ લેખક પાસે સુધારાવધારા પૂર્વક છપાવી આ પુસ્તકની નકલે દેશ પરદેશમાં બહોળા પ્રચાર કરવા માટે પોતાના દ્રવ્યનો સહકાર આપશે, તે તેઓએ જૈનશાસનની મહાન સેવા બજાવી ગણાશે. આજે દ્રવ્યાનાગ વિષયના લેખકે સમાજમાં બહું અલ્પ મળી શકે છે. એટલે એટલે જે લેખકે આ વિષયના લેખનમાં બહુ જ ઉત્સાહી છે, તેમના દ્વારા થતાં આવાં પ્રકાશમાં વધુને વધુ દ્રવ્ય સહાયક થવું એ જેના તરીકેની આપણી પ્રથમ ફરજ છે.
અંતમાં જૈન દર્શનના કર્મવાદને જાણું વિચારી સહુ કોઈ અક્ષય સુખના ભક્તા બને એજ શુભાભિષ. એજ લી. (ડહેલાવાલા) પૂજ્ય સુરેન્દ્રસૂરીશ્વરજી ચરણરેણું ૫. રાજેન્દ્ર વિજય. ફાગણ શુકલ પંચમી. સુરેન્દ્રનગર