________________
રોહન દશનના ક‘વાદ
જગતના મૂળ તત્ત્વાનુ વાસ્તવિકજ્ઞાન આવા આધ્યાત્મિક દર્શોના દ્વારાજ પ્રાપ્ત કરી શકાય છે.
૧૧૪
;
ભારતીય સ આધ્યાત્મિકદનાના મુખ્ય ઉદ્દેશ દુઃખના નાશ અને શાશ્વત સુખની પ્રાપ્તિના જ છે. ભૌતિક સુખને પણ આધ્યાત્મિક દર્શનાએ તેા દુઃખ જ ગણ્યુ છે. સદાકાળ આત્માની સાથે સબધિત રહેનારા સુખને જ સુખ માન્યુ' છે. અને એવું સુખ, તે આધ્યાત્મિક સુખ છે. જેના વિયાગ કદાપી થતા જ નથી. આવા સુખની પ્રાપ્તિમાં સાધનભૂત નીવડનાર ભૌતિક અનુકૂળતાવાળી સામગ્રીની આવશ્યકતા, આધ્યાત્મિક સુખ પ્રાપ્તિ સુધી જ સ્વીકાય ગણી અન્તે તા તેને પણ ત્યાજ્ય ગણી છે. પર`તુ આધ્યાત્મિક જીવનથી પતન કરાવવાવાળી ભૌતિક અનુકૂળતાવાળી સામગ્રીને તે વ્યવહારીક દુઃખ કરતાં પણ વિશેષ ખતરનાક ગણી છે.
'
વળી ભૌતિક સુખ-દુઃખ કે આધ્યાત્મિક સુખ–દુંઃખના મૌલિક તત્ત્વની પણ ભારતીય દશનામાં બહુ જ સ્પષ્ટ અને તલસ્પશી વિચારણા આળેખાઈ છે. આવી વિચારણાને સ્પષ્ટ ઉલ્લેખ જૈનદર્શનમાં વિશેષ સ્વરૂપે મળી શકે છે.
જૈનદર્શન કહે છે કે પ્રાણિઓને વિવિધ પ્રકાર ભાંગવવા પડતા કોના મુળ આધાર, જીવ અને પુદ્ગલ તત્ત્વના ' પારસ્પરિક સબંધ છે. ભૌતિક સુખની પ્રાપ્તિ પણ આ બન્ને તત્ત્વોના સંબધનુ જ પરિણામ છે.
•