________________
૧૦૮
જૈન દર્શનને કર્મવાદ * આયુષ્ય જ્ઞાન વૃદ્ધિને માટે જ અર્પણ કરી ચૂક્યા છે, એવાજ મનુષ્યનાં ઉદાહરણ આપણે અહીં વિચાર્યા છે.
વિજ્ઞાનની આ સ્થિતિ છે. જ્યારે તત્વજ્ઞાનને વિષય -આખા વિશ્વ ઉપર ફરી વળે છે, તે વિશ્વને જ સંપૂર્ણ તત્વ સમજીને તેનું જ્ઞાન કરાવે છે.
વળી વિજ્ઞાન તે દશ્ય જગતના વિભિન્ન અંગેનું -પૃથક પૃથક્ અધ્યયન કરે છે, જ્યારે જે જ્ઞાનને માનવ -મસ્તિષ્કની સાથે સંબંધ છે તેવા જ્ઞાનની કઈ પણ ધારા -તત્ત્વજ્ઞાનના ક્ષેત્રથી બહાર હોઈ શકતી જ નથી. વિજ્ઞાનને વિષય ઈન્દ્રિયની સહાયતાથી મનુષ્ય જેટલું પ્રાપ્ત કરી શકે તેટલા પૂરતું જ છે. એટલે વિજ્ઞાન પ્રત્યક્ષ અનુભવવાદી છે.
અર્થાત વિજ્ઞાન તે દૃશ્ય જગત સુધી જ સીમિત છે. તત્ત્વજ્ઞાનને વિષય તે ઈદ્રિયપ્રત્યક્ષ પૂરતું જ સીમિત નહીં રહેતાં ઇન્દ્રિયાતીત વિષયને પણ અવલોકીને અંતિમ તત્વના આધાર પરજ જ્ઞાનધારાને સ્પષ્ટ કરે છે.
વિશ્વના અદશ્ય અને ગુઢ સિદ્ધાન્તો વિજ્ઞાનની દ્રષ્ટિમાં આવી શક્તા નથી. તેથી કરીને તેવા સિદ્ધાન્તના અભાવે "વિજ્ઞાનનું જ્ઞાન પારમાર્થિક દૃષ્ટિથી પૂર્ણ કહી શકાતું નથી. ભાટે જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હંમેશાં અપૂર્ણ અને એકાંગી હોય છે.
અને તત્ત્વજ્ઞાન પૂર્ણ અને સર્વાગી હોય છે. લવ