________________
૪
•સફલ મનાવવામાં થતી માનવસમાજની ગમે તેટલી પાયમાલી પ્રત્યે ઉપેક્ષા ભાવવાળેા છે.
અજ્ઞાન અને પુદ્ગલાની મનુષ્યે વિવિધ પૌલિક આવિષ્કારાની આવડતવાળા મને તે વિશ્વમાં ઉલ્કાપાત મચાવી દે છે. એ રીતની પૂર્વકાલિન મહાપુરૂષાની માન્યતા બિલકુલ સાચી હાવાનુ આજે આપણે પ્રત્યક્ષ અનુભવી રહ્યા છીએ. કેવળ ભૌતિકરાગી જ મનુષ્યોને પૌદ્ગલિક આવિષ્કારે•ની ચમત્કારી સમાજ આપવાથી વિશ્વની પાયમાલી થઈ જાય, એ રીતની દ્વી દ્રષ્ટિ આપણા પૃ કાલિન મહાપુરૂષોએ વાપરી, તેવા આવિારાને ગૌણ બનાવી, ભવિષ્યની ભારતીય જનતા, અધ્યાત્મસંસ્કૃતિ વિહીન ખની ન જાય એ રીતે પૌલિકવિજ્ઞાન આપણને વારસારૂપે આપી જઈ આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે.
-
ભૌતિક લાલસાથી રંગાયેલ પ્રજાને, આ મહાપુરૂષોએ દશિ ત વિજ્ઞાન શુષ્ક લાગે એ સ્વાભાવિક છે. પરંતુ આત્મિક સુખમાં જ વાસ્તવિક સુખની સમજવાળા જીવા તે આ રીતના જ વૈજ્ઞાનિક સિદ્ધાંતને અનુસરતા હેાવાથી, ભૌતિકવિજ્ઞાનની ખેલખાલાવાળા સમયમાં પણ આત્મિક શાંતિ અનુભવી રહ્યા છે. પૂર્વ કાલિન મહાપુરૂષોએ પ્રણિત અર્થાત્ જૈનદર્શનપ્રણિત, પુદ્ગલ વિજ્ઞાન તે શાશ્વત અને સત્યસ્વરૂપ સુખશાંતિની પ્રાપ્તિમાં કેવી રીતે ઉપયેગી બની શકે, એની સમજ, સર્વાંનપુરૂષો કથિત પુદ્ગલ વિજ્ઞાનનું જ અધ્યયન કરવાથી આપણને સમજી શકાશે.