________________
૧૩૬
-વનાર દશને શરીર રચનાને સાચે ખ્યાલ પેદા કરી શક્યાં નથી. એટલે કેઈએ શરીર રચનાની જવાબદારી ઈશ્વર ઉપર નાંખી, તે કેઈએ પંચભૂતનું પુતળું પંચભૂતમાંથી જ પિદા થાય છે, એમ કહી સંતોષવૃત્તિ સ્વીકારી. શરીર રચનામાં ઉપગી દારિકદિ પુદગલ
વર્ગણાની સૂક્ષ્મતા જે અણુસમૂહમાંથી શરીર તૈયાર થાય છે, તે અણુસમૂહ એટલે સૂકમ છે કે–આપણે જોઈ શકીએ તેમ નથી. એટમબોંબ કે હાઈડ્રોજન બોંબનું કાર્ય આપણે જોઈ શકીએ છીએ. પરંતુ તે અણુઓને પ્રત્યક્ષ આપણે જોઈ શક્તા નથી. તેમ છતાં તે અણુસમૂહનું અસ્તિત્વ આપણે સ્વીકારીએ છીએ. તે જે અણુમાંથી બબ તૈયાર થાય છે, એ અણુ કરતાં, શરીર તૈયાર થવામાં ઉપગી આણુઓ અતિ સૂક્ષ્મ છે, તેને પૃથક્ પૃથક્ રૂપે આપણે ચર્મચક્ષુથી કેવી રીતે જોઈ શકાય ? તેમ છતાં આજના પરમાણુની ગણત્રીના યુગમાં તે આવા સૂમ અણુઓની હકીકત પણ બુદ્ધિમાં ઉતરી શકે તેવી છે, માટે તેના અસ્તિત્વ અંગે કેઈથી ના પાડી શકાય તેમ નથી.
પુગલના અવિભાજ્ય ભાગને પરમાણુ કહેવામાં આવે છે. તેવા અવિભાજ્ય ભાગ રૂપ અણુને આજના વૈજ્ઞાનિએ માન્ય છે, પરંતુ તેવા અણુને પ્રાપ્ત કરી શક્યા નથી. હાલ એટમ તરીકે કહેવાતા ભાગને પ્રથમ અવિભાજ્ય ભાગ માનવામાં આવતો હતો. પરંતુ જેમ જેમ હાલનું વિજ્ઞાન આગળ વધતું ગયું, તેમ તેમ હાલના એટમને અવિભાજય