SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જ બની જાય છે. અને તે એવાં કામ કરી બેસે છે કે જેથી સ્વયં પિતાના કર્માનુસાર ફળ પ્રાપ્ત કરી જ લે છે. આ રીતે શરીર રચનામાં પ્રસ્ત બની રહેલ જીવ પ્રયત્નમાં પણ, જીવની બુદ્ધિ પિતાના પૂર્વકૃત કર્માનુસારે જ બની રહેતી હોવાથી પોતપોતાના શરીરની સારી યા નરસી રચના, કર્મ અણુસમૂહની આધિનતાથી જ જીવ કરી શકે છે, એમ માનવામાં કઈ હરક્ત રહેતી નથી. પહેલાં વિચારાઈ ગયું છે કે પ્રતિસમય જીવવડે ગૃહિત કામણવર્ગણાના તમામ અણુસમૂહમાં સ્વભાવનું નિર્માણ એક સરખું નહિ થતાં વિવિધ પ્રકારનું થાય છે. અને તે વિવિધ પ્રકારના સ્વભાવ ધારક આણુસમૂહે વિવિધ સંજ્ઞાથી વ્યાવહારાય છે. અહિં શરીરને ગ્ય પગલોનું ગ્રહણ અને તે પુદ્ગલેનું પરિણમન વિવિધ રીતે જીવ કેવી રીતે અને કયા કર્મને આધીન રહીને કરે છે, તે આપણે વિચારવાનું છે. વિવિધ સંજ્ઞાધારક કર્મ આસમૂહનું જૈનદર્શનમાં મૂળ આઠ અને ઉત્તર ૧૫૮ ભેદે વગીકરણ જેમ કર્યું છે, તેમ શુભ અને અશુભ ફળદાતાની અપેક્ષાએ પુણ્ય તથા પાપ એમ બે ભેદે, તથા જ્ઞાનાદિ ગુણેને ઘાત કરનાર અને નહિ કરનારની અપેક્ષાએ ઘાતી-અઘાતી એમ બે ભેદે પણ વર્ગીકરણ કરેલું છે. તદુપરાંત કર્મને વિપાક અમુક હેતુઓ પ્રાપ્ત થતું હોવા અંગે તે વિપાકની હેતુસૂચક અપેક્ષાએ કર્મપ્રકૃત્તિઓનું
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy