SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૧ પ્રકરણ ૫ મું : સાગારી-ધર્મ: શ્રાવકાચાર પછી જે સાધુ સાધ્વીજી હોય તો તેમના મુખારવિંદથી પોષધનાં પચ્ચખાણ કરે, સાધુ સાધ્વીજી ન હોય તો વાવૃદ્ધ વ્રતી શ્રાવક પાસે અને તે પણ ન હોય તે સ્વયં પૂર્વ તથા ઉત્તર દિશા સન્મુખ મુખ રાખી શ્રી સીમંધર સ્વામીની આજ્ઞા માગીને પંચ પરમેષ્ઠિીને વંદના-નમસ્કાર કરીને નિક્ત પાઠથી પિષધ વ્રતનો સ્વીકાર કરે. “અગિયારમું પોષhત્રત અસણં, પાણું, ખાઇમં, સાઈ ચઉવિહે પિ આહારં, પચ્ચખ્ખામિ, અખંભ, પરીષ્નામિ, માલાવર્નગ વિલવણું પરચખામિ, મણિસોવન્ન પચ્ચખામિ, સત્યમુસલાદિ સાવજ જેગ પચ્ચખામિ, જાવઅહોરાત્ત પજજુવાસામિ, દુવિહં, તિવિહેણું, નકરેમિ નકારમિ, મણસા, વસા, કાયા, તરસ ભંતે પડિકમામિ નિંદામિ, ગરિયામિ, અપ્પાનું સિરામિ. અર્થાતૃ-અગિયારમા પોષધવ્રતમાં અન, પાણી, સુખડી અને મુખવાસ એ ચારે આહારનાં તથા પિ શબ્દકી બીજા પણ સૂંઘવા આદિ વસ્તુનાં, મૈથુન સેવવાનાં, પુષ્પ સુવર્ણાદિની માળા આદિ ભૂષણેનાં–હરા, પન્ના, મેતી, રત્નાદિ ઝવેરાતનાં તથા સુવર્ણાદિના આભૂષણોના, તેલ, ચંદનાદિ વિલેપનનાં, કેસર આદિ તિલકન, મુશલ, ચક, ખગ, આદિ શસ્ત્રનાં અને અન્યને દુઃખ ઊપજે તેવા મન, વચન અને કાયાના યોગ પ્રવર્તાવવા પ્રથમ વ્રતની પેઠે બે કારણે અને ત્રણ ચોગે પ્રત્યાખ્યાન કરે. પછી સાધુ-સાધ્વીજી સન્મુખ અથવા પૂર્વ ઉત્તરાભિમુખ બેસે. પછી ડાબો ઢીંચણ ઊભું રાખીને બે હાથ કમળ ડેડાની પેઠે જોડીને મસ્તકે સ્થાપી, નીચે ઝુકીને બે વાર “નમુથુર્ણ કહે. પછી જેણે વ્રત સમાચયું નથી એવા ગૃહસ્થની પાસેથી પૈષધશાલામાં રહેલા ગુર છો, રહરણ, લઘુનીત પરઠવવાનું ભાજન વગેરે જેવા મૂકવાની આજ્ઞા લે. આમ વિધિપૂર્વક પિષધવત ગ્રહણ કરીને પછી અહોરાત્રિ વ્યાખ્યાનશ્રવણ, પઠન પાઠન, જ્ઞાન ધ્યાન, પરિચટ્ટણ (પરાવર્તન) નામસ્મરણ, ધર્મકથા આદિ ધર્મધ્યાનમાં વ્યતીત કરે. જે કદાચ લઘુનીતની.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy