SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વ પ્રકાશ વગેરે અનેક આપત્તિ ઉત્પન્ન થાય છે. આવાં કૃત્ય અજ્ઞાની માણસો જ કરે છે. અજ્ઞાનીની દેખાદેખીથી શ્રાવક આવું કૃત્ય કરે જ નહિ છતાં કરે તે તેને અતિચાર લાગે. ૨. સંજુત્તાહિગરણે–સંયુક્તાધિકરણ-અર્થાત શસ્ત્રને સંબંધ મેળવે. જેમકે ખાણિયે હોય તે સાંબેલું અને સાંબેલું હોય તે ખાણિયે ન બનાવે. ઘટીનું એક પડ હોય તે બીજું પડ નવું બનાવે. ચપુ, છરી, તલવાર, વગેરેને હાથા કે મૂઠ બનાવે. ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય તે તીણ બનાવે. કુહાડી, ભાલાં, બરછી, વગેરેને હાથા કે ભલકા લગાવે. આમ, અપૂર્ણ ઉપકરણને પૂર્ણ કરવાથી તે શસ્ત્ર આરંભની વૃદ્ધિ કરનારું બની જાય છે. બીજો કોઈ માગે તે તેને પણ દેવું પડે છે તેથી અતિચાર લાગે છે. જે તે અપૂર્ણ હોય તે સહેજે બચી જવાય છે. આવું જાણી અપૂર્ણ શસ્ત્રને પ્રયજન પૂર્ણ ન કરવું તથા આવશ્યકતાથી અધિક શસ્ત્રને સંગ્રહ પણ ન કરે. ઘરમાં જે શ હોય તેને પણ એવી રીતે ગુપ્ત રાખવા કે તે બીજાના હાથમાં જવા ન પામે. વળી, કેટલાક માનના ભૂખ્યા નાપટેલ કે મહાજનના મેવડી બની બેસે છે અને લગ્ન, કારજ આદિ આરંભનાં કામમાં આગેવાન થઈને તાવડા બેસાડવાની, ખાંડ, સાકર, વગેરેની ચાસણું કરવાની, શાક વગેરે સુધારવાની આજ્ઞા આપે છે. તથા પાપારંભનાં કાર્યને ઉત્તેજન આપે છે. એવાં કામ પતે કરે છે અને બીજા પાસે કરાવે છે. દિવાળી, દશેરા, હોળી, આદિ પર્વને માટે લીંપણ, ગૂંપણ, રંગવું, દેવું, રાંધવું, તળવું, મકાન ધળાવવાં આદિ આરંભનાં કાર્યો બધાંની પહેલાં પ્રારંભ કરી દે છે. તે જોઈ બીજાઓ પણ આરંભ કરવા મંડી પડે છે. આથી તેવાં કામની પાપની ક્રિયાને અધિકારી તે પ્રારંભ કરનાર બને છે, આ પણ અનર્થદંડ છે. આત્મા તેથી વિના કારણ દંડાય છે. માટે શ્રાવોએ તેમ કરવું નહિ. ૫. ઉપગ પરિભાગ અઈરતે—ઉપભેગ–પરિભેગમાં અતિ આસક્ત બને. જેમકે નાટક, ચેટક, ખેલ, તમાશા, સ્ત્રી-પુરુષાદિના
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy