SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ નું મિથ્યાત્વ પ૨૯ સંકલ્પ વિકલ્પની એ સાત રીતે નવ તત્વ ઉપર લગાડતાં ૯૪૭=૬૩ મત થાય છે. તેમાં સાંખ્યમતવાદી, શિવમતવાદી, વેદમતવાદી અને વિષ્ણુમતવાદી એ ચાર મત કઈ કઈ પક્ષનું ગ્રહણ કરી મેળવવાથી ૬૭ મત થાય છે. અજ્ઞાનવાદી કહે છે કે જ્ઞાન તે સાવ ખોટું છે. કારણ કે જ્ઞાની તે વિવાદી હોય છે. અને વિવાદ કરવામાં સામા પક્ષવાળાનું બટું ચિંતવવું પડે છે, તેનું પાપ લાગે છે, વળી જ્ઞાની પગલેપગલે ડરે છે, તેથી તેને હરેક વખતે કર્મને બંધ પડેયે જ જાય છે. અમે અજ્ઞાનવાદીઓ તેનાથી સારા છીએ, નહી જાણવું કે નહી તાણવું, જાણે એને તાણે, ન કેઇ સાથે વિવાદ કરે, ન કોઈને સાચું કે ખોટું કહેવું, તેમ અને પુણ્ય પાપમાં સમજતા પણ નથી. એટલે અમને જરા પણ દોષ લાગતું નથી એવા અજ્ઞાનવાદીને એટલું પૂછીએ કે, તમે જે બોલે છે તે જ્ઞાન હોવાથી બેલે છે કે અજ્ઞાનતાથી બોલે છે ? જે તમે જ્ઞાનથી બોલતા હો તે તમારો મત જ જુદો થે, કારણ, અજ્ઞાનીને વળી જ્ઞાન ક્યાંથી ? અને અજ્ઞાનથી બેલા હો તે અજ્ઞાનીથી ઉત્તર જ શી રીતે દેવાય? અને કદી ઉત્તર દેવાય તે તે ઉત્તર અપ્રમાણ છે. વળી, તમે કહો છો કે–અમે અજ્ઞાનવાળાઓ, અજ્ઞાનતાથી—અણસમજથી પાપ કરીએ છીએ, જેથી અમને પાપ લાગતું નથી. “ તે ભલા, અજ્ઞાનપણે ઝેર ખાઓ તે ઝેર ચડે કે નહીં ? જે ઝેર ચડે તે અજ્ઞાનતાથી કરેલું પાપ પણ લાગે અને તેનાં ફળ ભેગવવાં પડે. ભાઈ ! ખરી વાત તે એ છે કે જ્ઞાની કરતાં અજ્ઞાનીને વધારે પાપ લાગે છે. જ્ઞાની તે જાણે છે કે, આ ઝેર છે, તે ખાઈશ તે મરી જઈશ, માટે તેનાથી તે સદા દૂર રહે છે; કદી ઔષધ વગેરે કારણે ઝેર વાપરવું પડે તે પણ પ્રમાણ જેટલું જ અને તે પણ અનપાન વિધિ સહિત જ વાપરે છે અને તેથી ઝેર વાપરતાં છતાં મૃત્યુથી બચે છે. પણ અજ્ઞાની અજાણતાં, પ્રમાણ રહિત ઝેર ખાઈ જાય છે તેથી મૃત્યુને વશ થાય છે. . ૩૪ 2 વશ થાય છે. તેની
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy