SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્વ પ્રકાશ ફેરવી પિતપોતાને ઠેકાણે જઈ બેઠા અને હાથીને રૂપની અંદર અંદર પુછગાછ કરવા મંડયા. એકે કહ્યું, હાથી થાંભલા જેવું છે. બીજે કહે, નહિ, હાથી અંગરખાની બાંય જેવો છે. ત્રીજે કહે, સૂપડા જેવો છે. ચેથે બે, સાવરણ જેવો છે. અને પાંચમે બેલ્યો કે ચબૂતર (ટા) જે છે, એમ કહી એકબીજા લડવા મંડ્યા. એક કહે, હું સાચે અને તમે બધા ખેટાં, બીજો કહે, હું કહું છું તેમ જ હાથી છે, તમે બધા આંધળા છે. એ જોઈ એક દેખતા માણસે કહ્યું કે, તમે એકેક કહે છે તેટલું જ જે મનાય તે તમે સર્વે બેટા છે, પણ સૌને મત ભેગે કરીએ તે સાચા છે. જે થાંભલા જે કહે છે તે હાથીના પગ છે. અંગરખાની બાંય જેવી હાથીની સૂંઢ છે. સૂપડા જેવા કાન છે. સાવરણી જેવી પુંછડી છે. અને ચબૂતરા જેવી પીઠ છે. એમ પાંચેના મતને એકત્ર કરવાથી હાથી થાય છે. એ પ્રમાણે પિતપતાના એકાંત મત સ્થાપનાર પક્ષગ્રાહીઓને મિથ્યાત્વી કહે છે. એ પાંચ સમવાયના સંયેગથી વિવિધ પ્રકારના પાખંડીઓનાં ૩૬૩ મત થાય છે તે જણાવે છે. પાખંડી મતના મૂળ ચાર પ્રકાર છે. (૧) કિયાવાદી, (૨) અકિયાવાદી, (૩) અજ્ઞાનવાદી, અને, (૪) વિનયવાદી. ૧. કિયાવાદીના ૧૮૦ પ્રકારના મત થાય છે. કાળ, સ્વભાવ, નિયત, કર્મ, અને ઉદ્યમ એ પાંચ સમવાયને સ્વ આત્મા અને પર આત્મા ઉપર લગાડતાં દસ ભેદ થયા. એ દસ ઉપર શાશ્વત અને અશાશ્વત એ બેલ લગાડતાં વીસ ભેદ થયા. નવે તવ ઉપર એ સર્વ બોલ લગાડતાં કુલ ૧૮૦ ભેદ ક્રિયાવાદીના થયા. પ૪ર૪ર૪–૧૮૦ ભેદ કુલ છે. ક્રિયાવાદીને એ મત છે કે, જીવને પાપ-પુણ્યરૂપ કિયા લાગે છે, અને તેથી આ લેક અને પર લેકને તે સ્વીકારે છે. કિયાવાદી હંમેશાં ક્રિયાનાં જ વખાણ કરે છે. અને એકાંતપણે ક્રિયાને જ સ્થાપી, જ્ઞાન, દર્શન વગેરેનું ઉત્થાપન કરે
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy