SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ શ્રકરણ ૪ થું : ઉપાધ્યાય કર્મ રૂપી વગડાને બાળવાને માટે તપ છે તે સાક્ષાત્ દાવાનળ છે; તપ એ કામદેવ રૂપી મહાન શત્રુને નાશ કરવામાં મહાદેવરૂપ છે, તૃષ્ણા રૂપી વેલને ઊખેડી નાખવાનું જબરું હથિયાર છે, અને આખર મહા નિબિડ (ચીકણાં) કર્મોનું પણ નિકંદન કરી અલ્પકાળમાં મેક્ષસ્થાન આપે છે. ૯. ચેઈએ (જ્ઞાન)-વસ્તુને યથાર્થરૂપે સમજવી તેને જ્ઞાન કહે છે. શ્રી વીર પ્રભુએ ફરમાવ્યું છે કે “પઢમં નાળ તો ચા,” પહેલું જ્ઞાન મેળવ્યું હશે તે દયા બરાબર પાળી શકાશે. મેક્ષ મેળવવાનાં ચાર સાધનેમાં પ્રથમ સાધન જ્ઞાન છે, તે જ માણસનું રૂપ છે. ભર્તુહરિએ પણ કહ્યું છે, કે “વિદ્યા વિના પશુ?” જ્ઞાન વિના માણસ પશુ સમાન છે. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે જ્ઞાની સર્વથી આરાધક છે. શ્રી ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે “નોન વિના ન દુતિ રજુ ' જ્ઞાન વિના શુદ્ધ ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થતી નથી. શ્રી યજુર્વેદમાં કહ્યું છે કે એ વિચામૃતમરૂનુ છે જેમાં પરમ સુખની પ્રાપ્તિ છે તેને વિશ્વા કહે છે. એ પ્રમાણે ઘણાએ દાખલા વિદ્યાના વિષયમાં છે. બધી વિદ્યાઓમાં ધર્મતત્વજ્ઞાનરૂપી વિદ્યાને પ્રથમ દરજજાની ગણી છે. એટલા માટે મેક્ષસુખના ઈચ્છનારા પ્રાણીઓએ જ્ઞાનાભ્યાસ અવશ્ય કરવું જોઈએ. સાંસારિક વિદ્યાઓ કરતાં ધર્મજ્ઞાન અતિશય ફાયદાકારક છે. ધર્મજ્ઞાન જાણનાર પાપ, અકૃત્ય, અભક્ષ્ય-ભક્ષણ, વગે. રેથી ઘણે ડરે છે. ધર્મજ્ઞાનવાળે પાણી નિઘ કર્મોથી–નિંદવા ગ્ય કામમાંથી પિતાના આત્માને અલગ રાખી બચાવી લે છે. આ સમયમાં ધન મેળવવાને આતુર ઘણા જણ હોય છે, પણ વિદ્યાના શોખીન બહુ જ થેડા હોય છે. ધનના લેભથી એમ નથી
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy