________________
૧
જૈન ચિત્રકલ્પદ્રુમ
રીતના તેમાં પ્રયેાણ કરવામાં આવ્યા છે. તડકા હેાય ત્યારે આખું ચિત્ર પીળા રંગમાં જ ચીતર્યું હાય. રાત્રિ હોય ત્યારે ભૂરા રંગ પર જ ચીતરાયું હોય. ઘરમાં રાત્રિ હોય અને દીવા ચીતી હાય તે બધું લાલ ભૂમિ ઉપર આલેખ્યું હાય. વળી પ્રસંગ પ્રમાણે ઋતુ કાળ દર્શાવતાં માણસા અને જનાવરાથી આપણે બધું તરત અટકળી શકીએ છીએ. નદી સરાવર કે કુંડ, તેના પાણીનાં વમળાની રેખાએથી જ સમજાઇ જાય. વૃક્ષા ળે વનસ્પતિઓ વગેરે ખરેાખર એળખાય તેમ તેનાં પાન થય વગેરે ચીતરાએલાં નજરે પડે છે. વાસ્તવિક દર્શન કરતા આ લાક્ષણિક દર્શન ચિત્રણાના નિયમમાં વધુ ઉપયેગી ગણાયું છે.
આજ સુધી ભારતીય ચિત્રકળાના ઇતિહાસમાં ગુજરાતના નામેાલ્લેખ નહેાતા, પરંતુ મધ્ય યુગના આ ચિત્રકળાના નમૂના માત્ર ગુજરાતમા જ મળ્યા હેાવાથી ગુજરાતને તેથી ગૌરવ પ્રાપ્ત થયું છે. આ પ્રાચીન ચિત્રાકૃતિઓની છાયા રાજપૂત કળામાં કેમ ઊતરી અને મુગલ કળાને સમૃદ્ કરવામાં આનુવંશિક ઉપકાર કેવી રીતે થયા તેના અંકાડા તેા હજી ખેસાડવાના રહે છે જ; તાપણુ જે સ્થાપત્યરચનાઓ અને વચ્ચે આ ચિત્રમાં દેખાય છે તે આજે પણ નહિ બદલાએલા સમાજમાં નજરે પડે છે.
ચતુર દૃષ્ટિવાળા કલાવિવેચકા આ કળાના નમૂના જોતાં જ તેની potency—સર્જક અને પ્રેરક શક્તિ સ્વીકારશે, એટલું જ નહિ પણ દેશની કળાને તેમાથી નવા માર્ગ જડશે એમ માનવું ભૂલભરેલું નહિ ગણાય. આજે કળા એટલે શાળાપાદિત વસ્તુ નહિ, પણ પ્રજાની ઊર્મિ અને ઉલ્લાસમાંથી સર્જાએલી નવષ્ટ એમ સ્વીકારીએ તે નવસર્જનના પાયામાં યે આ કળાનાં તત્ત્વા ઉપયેગી થઇ પડવાના જ.
રવિશંકર મ. પ્રવી