________________
ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા
૧૦૧
સૂકા કે ભીના વાતાવરણુની અસર ન થાય, એ પુસ્તકો ગેશાં ન થાય તેમજ હવાથી એનાં પાનાં ઊડવા ન પામે, એ માટે એ પુસ્તકાને બંધન બાંધવામાં આવતાં. આ બંધના સામાન્યરીતે સુતરાઉ જ ાતાં, તેમ છતાં ખાસ માનનીય કલ્પાદિ જેવાં શામે! માટેનાં બંધને રેશમી હૈાનાં. દાખડા ઉપર અને તાડપત્રીય પાથીઓ ઉપર બાંધવાનાં બંધના જાડા ખાદીના કપડાનાં બનતાં, મુખ્યત્વે કરીને એ એકવડાં જ હાતાં, તેમ છતાં ધણીવાર એ બેવડા ખાદીના કપડાનાં પણુ થતાં અને કેટલીકવાર ખાદી અને મારૂનાં કપડાંને મેવડાં સીવીને તૈયાર કરવામાં આવતાં.
પાટી-પટ્ટી
પુસ્તકની પાથીઓ, દાખડા આદિ ઉપર બાંધેલાં બંધને છૂટાં ન પડી જાય એ માટે તેના ઉપર એકસવા આંગળ પહેાળા પાટી—પટ્ટી વીંટવામાં આવતી. આ પાટી ઘણીવાર રેશમી પશુ હાતી અને ઘણીવાર એ સુતરાઉ પણ હતી. આ પાટીઓમાં કેટલીકવાર તેના ગૂંથનારાઓ સુંદર દુહા, પદ્દો, પાટી-પટ્ટીના માલિકનાં નામેા વગેરે પણ ગૂંથતા હતા, જેના નમૂના આજે પણુ ઘણે ઠેકાણે તેવામાં આવે છે
દાબડાએ
પુસ્તક રાખવા માટેના દાબડાએ લાકડાના, કાગળના તેમજ ચામડાના બનાવવામાં આવતા હતા. એ બધાના અહીં ટૂક પરિચય આપવામાં આવે છે:
લાકડાના દામડાઓ
લાકડાના દાબડાની બનાવટથી તે। આપણે સૌ પરિચિત જ છીએ, એટલે એને અંગે માત્ર એક જ વાત જણાવવાની રહે છે કે જેમ આજકાલ કબાટ, ખુરસી, મેજ, બાંકડા વગેરે દરેક જાતના ર્નિચરને પાલિશ કરવામા આવે છે તેમ જૂના જમાનામાં આપણે ત્યાં દરેક લાકડાની વસ્તુને વાત ન લાગે તથા ભેજ વગેરેથી એ તરડાઈ કે કાટી ન જાય એ માટે ચંદ્રસના રાગાન તેમજ તેનાથી મિશ્રિત ર્ગા લગાવવામા આવતા હતા અને એ જ રીત આપણા પુસ્તક ભરવાના ડબ્બા માટે અખત્યાર કરવામાં આવી છે. આ ગેંગ દાખડાના બહારના ભાગ ઉપર લગાવવામાં આવે છે.
કાગળના દાખડા
નકામા પડી રહેતા કાગળાને ઉપરાઉપરી ચેાડીને અથવા એ કાગળાને ફૂટીને તેમાં મેથી વગેરે ચિકાશવાળા પદાર્થોં ભેળવી એ કૂટાના સુંદર સાદાર દાબડાએ બનાવવામાં આવતા અને તેના ઉપર રેશમી કે સુતરાઉ કપડું વગેરે મઢવામાં આવતું. કેટલીક વાર કપડું વગેરે ન મઢતાં તેના ઉપર રેગાન મિશ્રિત રંગ ચડાવવામાં આવતા અને તે ઉપર ચૌદ સ્વપ્ન, અષ્ટમંગલ, નેમિનાથની જાન, તેતે સમયના વર્તમાન આચાર્યાંની ધર્મદેશના,તીર્થંકરનાં કલ્યાણુકા અને જીવનપ્રસંગા વગેરે ખાસ ખાસ ધાર્મિક પ્રસંગાનાં સુંદર ભાવવાહી ચિત્રા ચીતરવામાં આવતાં. (જીએ ચિત્ર નં. ૮ આ. નં.ર).