________________
૧૭૮
જેન ચિત્રકલ્પદ્રુમ ચિત્રથી થાય છે. ધનગિરિ મુનિ ભદ્રાસન ઉપર બેઠેલા છે. તેમની સન્મુખ સ્થાપનાચાર્ય છે. સ્થાપનાચાર્યની બાજુમાં સુનંદા બે હાથમાં વજસ્વામીને ઊંચા લઈને ધનગિરિ મુનિને વહેરાવતી દેખાય છે. પછી ચિત્રના અનુસંધાને, નીચેના પ્રસંગમાં વજસ્વામી બાળક હોવાથી પારણામાં બેઠા છે; પારણાની બાજુમાં ચાર સાધ્વીઓ હાથમાં મુહપત્તિ રાખીને પાઠ કરતી દેખાય છે જે વજસ્વામી સાંભળે છે. ચિત્ર રર૭ શ્રીવ જસ્વામીની દેશના. કાતિવિ. ૧ ના પાના ૭૯ ની ડાબી બાજુ ઉપરથી. વાસ્વામીને પાટલિપુત્રના એક ધનશ્રેષ્ઠિએ કરોડ ધન સાથે પિતાની પુત્રી પરણાવવા કહ્યું, અને પિલી પુત્રી ૫ગુ સાધ્વીઓ પાસેથી વજમુનિના ગુણો સાભળીને એટલી બધી મુગ્ધ બની હતી કે હું વડું તો વજને જ વરૂ એવો નિશ્ચય કરી બેઠી હતી, છતાં વમુનિ એ મેહમાં ન ફસાયા અને પેલી રુકિમણી નામની કન્યાને પ્રતિબોધી દીક્ષા આપી. વળી એક વખત દેશભરમાં ભારે દુષ્કાળ પડવાથી શ્રીસંઘને વિદ્યાના બળથી પોતાના વસ્ત્ર ઉપર બેસાડી એક સુકાળવાળા ક્ષેત્રમાં લઈ ગયા.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે, તેમાં કથાના પરિચયની શરૂઆત વજસ્વામીની દેશનાના ઉપરના પ્રસંગથી થાય છે. ભદ્રાસન ઉપર બેસીને વજસ્વામી દેશના આપતાં સામે બેઠેલો ધનશ્રેષ્ઠિ વગેરે શ્રોતાવર્ગ બે હસ્તની અંજલિ જેડીને દેશનાનું શ્રવણ કરતો દેખાય છે; વચ્ચે સ્થાપનાચાર્ય છે, જેની બાજુમાં સૌથી આગળ બે હાથ જોડીને રુકિમણી કન્યા કે જેને વસ્વામીએ પ્રતિબોધીને દીક્ષા આપી હતી તે દેશનાનું શ્રવણ કરતી બેઠેલી છે. આ પછી ચિત્રના
અનુસંધાને, વજીસ્વામીએ વિદ્યાના બળથી વિશાળ પટ વિકવેલો છે તે પ્રસંગ જોવાનો છે. ચિત્ર ૨૨૮ બારવવિદુષ્કાળ સમયે સાધુઓના અનશન. કનિવિ. ૧ ના પાના ૮૧ ઉપરથી. પિતાનું મૃત્યુ નજીક આવી પહોચેલું જાણું વજસ્વામીજીએ પોતાના વજન નામના શિષ્યને કહ્યું કે હવે બાર વર્ષને ભયંકર દુષ્કાળ પડવાનો છે અને જે દિવસે લક્ષ મૂલ્યવાળા ચોખામાંથી તેને ભિક્ષા મળે તે દિવસે સુકાળ થવાને એમ જાણી લેજે.' એટલું કહીને તેઓ પોતાની સાથે રહેલા સાધુઓને લઈ ત્યાં રહ્યા અને વજસેનમુનિ અન્યત્ર વિહાર કરી ગયા.
હવે વજસ્વામીની સાથે રહેનારા સાધુઓ અનેક ઘર ભમતા પણ ભિક્ષા મેળવી શકતા ન હતા એટલે ભિક્ષા વિના સુધા સહન કરવામાં અશક્ત બનેલા અને અનની વૃત્તિ રહિત તેઓ નિરંતર ગુએ લાવી આપેલા વિદ્યાપિંડનો ઉપયોગ કરવા લાગ્યા. એકદા ગુમહારાજે કહ્યું કે
બાર વર્ષ સુધી આ પ્રમાણે વિદ્યાપિંડને ઉપભોગ કરવા પડશે માટે જે તમારા સંયમને બાધા ન લાગતી હોય તે તે હું તમને દરરોજ લાવી આપુ, નહિ તે આપણે અન્નની સાથે જ શરીરને પણ ત્યાગ કરી દઈએ.' આ પ્રમાણેનું ગુરુમહારાજનું વચન સાંભળીને ધર્મરાગી એવા તે સાધુઓ બોલ્યા કેઃ “આ પાણ૫ વિદ્યાપિંડને અને પિવા લાયક આ પિંડ (શરીર)ને પણ ધિક્કાર થાઓ. હે ભગવન! અમારા પર પ્રસાદ કરે, કે જેથી આ પિંડ (દેહ)ને પણ અમે ત્યાગ કરીએ!” પછી તે સર્વ મુનિઓને લઇને વજસ્વામીજી થાવર્ત પર્વત ઉપર ગયા અને અનશન કરી દેવલોક પામ્યા.
પારાનગરમાં જિનદત્ત શ્રાવકના ઘરમાં, લક્ષમૂકવવાળું અન્ન રાધીને તેની ઇશ્વરા નામની બી તેમાં ઝેર ભેળવવાને વિચાર કરી રહી હતી, તેટલામાં સ્વામીજીના મુખ્ય શિષ્ય શ્રીવમેન