________________
નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપે નથી. ચિત્રકારે અહીં તેને શા માટે મૂક્યું છે તે પણ સ્પષ્ટ સમજાતું નથી. રાજશેખરના કરમંજરી સદની નાયિકા કપૂરમંજરી રાજકુંવરી હતી; અને એ સદકમાં જે ત્રણચાર વાર કપૂરમંજરી રંગ ઉપર આવે છે ત્યારે તેની સ્થિતિ વિશિષ્ટ કહી છે. એમાં પણ એની દૃષ્ટિનું વર્ણન ઘણી વાર આવે છે ?
અહીં એક સૂચક બાબતની નેંધ લેવી જોઈએ. આ ચિત્રાવલિમાં શિરેબેદનાં ચિત્રોની નર્તકીના તથા ભૂપ્રકારની નર્તકીનાનેપચ્યવિધાનમાં ચિત્રકારે એક ભેદ રાખે છે. પ્રકારની નર્તકીએ
જાર પરિધાન કરેલી છે, જ્યારે શિરેભેદનાં ચિત્રોમાં ચણીઆ જેવું દેખાય છે. અને અહીં કર્મુમંજરીના ચિત્રમાં એને ચિત્રકારે ઈજાર પહેરાવી છે, તેથી કદાચ એમ હોય કે ચિત્રકારના મનમાં કપૂરમંજરીની કોઈ વિશિષ્ટ દૃષ્ટિનું નિરૂપણ કરવાનું હોય. કપૂરમંજરીના બધા પ્રવેશોમાંથી જે પ્રવેશમાં એ તિલાકને દેહદ પૂરવાને એના તરફ તિર્યંગવલોકન કરે છે તે પ્રસંગ આ ચિત્રને વધારેમાં વધારે બંધબેસતે છે એમ હું ધારું છું. સુંદર આભૂષણે શણગારેલી નાયિકા જેમ નાયકના દેહદ પૂરવાને તેના તરફ સ્નિગ્ધ દષ્ટિ, લલિત ચેષ્ટા સાથે, કરે તેમ અહીં કરમજરી તિલક તરફ જુએ છે. એ વખતનું કર્પરમંજરીનું ચિત્ર ચિત્રકારે અહીં સશરીર બનાવ્યું લાગે છે. માળમાં એ વખતની એની દષ્ટિનું વર્ણન આમ છે.૧૦
तिकरवाणं तरलाणं कजलकलासंवम्गिदाणं चि से पासे पश्चसरं सिलीमुहर णिच्च कुणन्ताणं अ।
(તીક્ષ્ણ, તરલ, કાજલ કલાથી યુક્ત, હાથમાં બાણવાળા કામને ધારતાં નયને ....) આથી, તેમજ એ પ્રવેશે છે ત્યારની નાટય સુચિ ઉપરથી જણાશે કે નાટકકારે આ સ્થળે નાયિકાને વિશિષ્ટ આભૂષણે શણગારાએલી કલ્પી છે. અહીં પણ એના વિશિષ્ટ આભૂષણે જ છે. તેથી એટલી સુચના કહું છું કે આ ચિત્ર કપૂરમંજરીના આ પ્રસંગને અનુલક્ષતું હોય તે બને ખરું.
ડોલરશય ૨. માંકડ
કે જુઓ ૫ ૩૦, ૪૨, ૫, ૭ (નિણયસાગર આવૃત્તિ).
૧૦ પૂ. ૬૦.