________________
૫૨
જેન ચિત્રકલ્પમ પ્રભાતનાં જૈન સસરાના લાકડાના કેતરકામ૫ ૧ટેકરી પરના શ્રી સીમંધરસ્વામીના દેરાસરમાં રંગમંડપના ઉપરના ધુમ્મટના ભાગમાં તથા થાંભલા
એની કુંબીઓ ઉપર તેમજ કુબીઓને કરતી, જુદાજુદા વાજિંત્રો લઈને ઉભી રહેલી નર્તકીઓ સુંદર રીતે કોતરી કાઢેલી છે.
૨૦ બજારમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરમાં લાકડાનું સુંદર કોતરકામ છે. ૨૧ બોળપીપળાના શ્રીનવપલ્લવ પાર્શ્વનાથજીના દેરાસરમાં લાકડાનું સુંદર કોતરકામ છે.
૨૨ બોળપીપળામાં જ વાઘમાસીની ખડકીમાં ત્રીજા શ્રીસંભવનાથજીના દેરાસરમાં લાકડાની સુંદર કારીગરીવાળુ સિંહાસન આજે પણ વિદ્યમાન છે. સુરતનાં જેન દેરાસરનાં લાકડકામ ૨૩ શાહપુરમાં આવેલા શ્રીચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરમાં લાકડાની ભીતિ ઉપર તથા તેમાં વિવિધ જાતનાં સુંદર ચિત્રકામ તથા થાભલા ઉપર બારીક કોતરકામ ખાસ પ્રેક્ષણીય છે. આખા ગુજરાતભરમાં લાકડા ઉપરનાં ચિત્રકામ તથા કોતરકામવાળું આવું બીજું એક પણ જૈન મંદિર મારી જાણમાં નથી. ગુજરાતની લાકડા ઉપરની ચિત્રકળા તથા કોતરણને અભ્યાસ કરવા ઈચ્છતા પિપાસુની તૃ તૃપ્ત કરે એટલી વિપુલ સામગ્રી આ જૈન મંદિરમાં ઉપલબ્ધ થાય તેમ છે. ગુજરાતના પત્થરના શિ માટે રવાના ન મદિરો અભ્યાસીને માટે જેટલા ઉપગી છે તેટલાં જ ગુજરાતની લાકડકામની ચિત્રકળા અને શિલ્પકળા માટે આ જૈન મંદિર ઉપયોગી છે એમ મારું માનવું છે.
૨૪ કાઠિયાવાડમાં આવેલા પાલીતાણાના શ્રીયશવિજયજી જૈન ગુરુકુળમાં લાકડાના કેનરકામવાળું ઘર-દેરાસર છે.
પ્રસ્તુત યાદી સંપૂર્ણ ને નથી જ, કેટલાયે જૈન મંદિરો અને વૈષ્ણવ મંદિરમાં લાકડાના કોતરકામ હશે જે જાહેરની જાણમાં પણ નહિ હોય. ગુજરાતની કળાના ઇતિહાસની શૃંખલા જેવા માટે અને તેને સંપૂર્ણ અભ્યાસ કરવા માટે લાકડા ઉપરના આ તરકામો તથા ચિત્રકળાને અભ્યાસ પણ આવશ્યક છે એમ માનીને મળી શકી તેટલી જેનાશ્રિત લાકડકામની કળાની યાદી માત્ર અહીં આપીને સંત માનવો પડે છે. યથા સમયે અને યથા સાધને એ કળાને સંપૂર્ણ અભ્યાસ કરીને એક સ્વતંત્ર પ્રથ તૈયાર કરવાનો મારો વિચાર છે, તેથી આ ગ્રંથ વાંચનાર દરેક વાચકને વિનતિ છે કે આ યાદી સિવાયના બીજે કઈ લાકડા ઉપરનાં કોતરકામ અને ચિત્રકામો તેઓની જાણમાં આવે ને તે કૃપા કરીને આ ગ્રંથના સંપાદકના સરનામે મોકલી આપે.
ગુજરાતની કાગળ ઉપરની જૈનાશ્રિત કળા
[વિ સ. ૧૪૬૮ થી ૧૫૦ સુધી) વિક્રમ સંવત ૧૪૬૮માં ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણથી બસિડી, તે વર્ષમાં સ્થપાએલા
જ૫ આ ગંધ મને શ્રી ચીમનલાલ ડી લાલ નરકથી મળી છે