________________
શ્રીકોઝળપાર્શ્વનાથાય નમઃ |
અહિંયાં પ્રકાશિત થઈ રહેલી લઘુકૃતિનું નામ “પિન્દ્રસ્તુતિ' છે. એના ક્ત મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ છે. અને આ સ્તુતિ ઉપર તેઓશ્રીએ પોતે જ વિવરણ રચ્યું છે આના ઉપર અદ્યાવધિ બીજી કોઈ ટીકા થઈ નથી પણ બે અવસૂરિઓ રચાઈ છે ખરી. એક અજ્ઞાતકર્તક અવચૂરિ તે આજ ગ્રન્થમાં છાપી છે અને બીજી ૫ ૫ આગમોદ્ધારક આચાર્યશ્રી સાગરાનન્દસૂરિજીએ રચી છે. તે પણ પ્રકાશિત થઈ ગઈ છે.
એન્દ્રસ્તુતિ કે તેના વિવરણને ચક્કસ સમય મળતો ન લેવાથી કર્તાનો સમય ૧૭-૧૮ મી સદીનો હોવાથી, સૈકાની દષ્ટિએ તે સમય ગણુ લેવો જોઈએ
ઉપાધ્યાયજી મહારાજ છએ દર્શનમાં નિષ્ણાત હતા તેઓશ્રીએ ચારભાષામાં સેંકડો ગ્રન્થો રચ્યા, ભગવતી શ્રી સરસ્વતીદેવીનું વરદાન પણ મેળવ્યું યદ્યપિ જન્મે ગુજરાતના હતા, પરંતુ દાર્શનિકશાસ્ત્રનો અભ્યાસ તો એમને સુપ્રસિદ્ધ વિદ્યાધામ કાશીમાં જઈને કર્યો હતો. અને અતિમ સમય ૧૭૪૩ ની સાલમાં ડભોઈ (ગુજરાત) મુકામે પસાર કરેલો અને ત્યાજ તેઓશ્રીનું સ્વર્ગગમન થયેલું
આટલો સંક્ષિપ્ત ખ્યાલ આપીને, હવે પ્રસ્તુત સ્તુતિચોવીશીના અંગે વિચાર કરીએ અને તે ઉપરાંત તેને લગતી બીજી હકીકતો પણ સમજી લઈએ. એકદર નિમ્ર બાબત ઉપર વિચાર કરવાનો છે.
૧ સ્તુતિ ચોવીશી એટલે શું? ૨ ચોવીશીની રચનાનો વિષય છે ? ૩ “ તુતિ” એવું નામકરણ કેમ કર્યું અને એનો અર્થ શું ? ૪ આ સ્તુતિનો ઉપયોગ ક્યારે થાય છે.? ૫ શું આવી ચોવીશી પ્રથમ જ રચાઈ છે ? ૬ કાવ્યની દષ્ટિએ સ્તુતિને પ્રકાર શું અને છંદોના પ્રકારો ક્યા ? ૭ એન્દ્રિસ્તુતિ એ સ્વતંત્ર કૃતિ છે કે અનુકરણાત્મક ૮ આ કૃતિમાં શું શું વિશેષતાઓ છે ? ૯ અંતિમ શ્લોકમાં આવતા દેવ-દેવી અગે ? ૧૦ આ સ્તુતિ ઉપર અન્ય ટીકા અવચૂરિ આદિ છે? ૧૧ સ્તુતિ કોની કરાય ? ૧૨ સ્તુતિ કરવાથી શું ફળ મળે ? ૧૩ ઉપાધ્યાયજીએ સ્તુતિની રચનાના શ્રમના ફળ તરીકે શું માગ્યું ? ૧૪ પ્રશસ્તિગત વિશેષતાઓ
૧ સ્તુતિચોવીશી એટલે શું?
સ્તુતિ અને ચોવીશી આ બે શબ્દના સંયોગથી ‘સ્તુતિ-ચોવીશી' એવી નામ નિષ્પત્તિ થઈ છે. એમાં પ્રથમ સ્તુતિશબ્દના અર્થને વિચારીએ