________________
समराइच कहानी प्रस्तावना
[२८५
ઉલ્લેખ કર્યો છે. જ્યારે બીજી બાજુ શંકરનો તેઓ કંઈ જ ઉલ્લેખ કરતા નથી. શંકર પિતાના વખતના વિઠાનામાં એટલા તે પ્રખ્યાત અવશ્ય થઈ ગયા હતા કે જેથી હરિભદ્ર જે એમના સમયના કે એમના પછીના હોત તે એમને ભૂલી શકયા નહોતા. આ ઉપરથી આપણે એટલું કહી શકીએ છીએ કે શંકરના અનુયાયીઓ જે તેમને ઈ. સ. ૭૮૮ થી ૮૨૦ ના ગાળામાં મૂકવાની માન્યતા ધરાવે છે તે ખરી છે, અગર તો છેવટે તદ્દન ખોટી નથી. વળી જિનવિજયજીના કહેવા મુજબ હરિભદ્ર માયાવાદ વિષે કશીએ ચર્ચા કરતા નથી. જોકે તેઓ અદ્વૈત વાદને જાણે છે અને પોતાના શાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં એની કેટલીક શાખાઓનું ખંડન પણ કરે છે, પરંતુ આમાંની એક પણ માયાવાદને મળતી નથી જણાતી. આ બાબત પણ ઠીક ઉપયોગી છે; કારણ કે એ ઉપરથી એમ ફલિત થાય છે કે, શંકર પહેલાં, ઔપનિષદોની બહાર માયાવાદ લગભગ અજ્ઞાત જેવો જ હતો. અલબત શંકરના ગુના ગુરુ ગૌડપાદે, એ પૂર્વે ઔપનિષદોમાં તે એનું પ્રતિપાદન કર્યું હતું; પણ કોઈપણ સંપ્રદાયે પિતામાં રહેલી વસ્તુના આધારે યા પોતાના શિક્ષણની નૂતનતાને લીધે આખાય હિંદુસ્તાનમાં એમને એમ પ્રસિદ્ધિ નથી મેળવી, સિવાય કે કોઈ ગ્રંથકાર એ વસ્તુનો પદ્ધતિસર સવિશેષ પ્રચાર કરે અને દરેક વિરોધી પ્રવાહની સામે એને બરાબર ટકાવી રાખે. આવા ગ્રંથકારની કીર્તિ ઘણું કરીને મૂળ વિચારક કે જેની શક્તિ સ્વાભાવિક રીતે જ ભૂલાઈ જવાય છે, તેના કરતાં પણ વધુ વિસ્તાર પામે છે.
૨. હરિભકતું જીવન હરિભદ્રના જીવન વિષે એમના પિતાના શબ્દોમાં આપણને ભાગ્યે જ કંઈ જાણવા મળે છે. એમના લખેલા ગ્રંથમાંથી એમના વિષે જે કાંઈ આપણે જાણી શકીએ તેમાં નીચેની હકીકતો ગણાવી શકીએ તેમ છીએઃ-(૧) તેઓ સિતાર (વેતામ્બર) ના આચાર્ય જિનભટની આજ્ઞા માનતા હતા, (૨) વિદ્યાધર કુલ (ગચ્છ) ના શણગાર રૂપ આચાર્ય જિનદત્તના શિષ્ય થતા હતા, અને (૩) સાધ્વી યાકિની મહત્તાના ધર્મપુત્ર કહેવાતા હતા. ૧૦
આ ઉપરાંત જે કેટલીક બીજી બાબતો હરિભદ્રના પુસ્તકો ઉપરથી સીધી જણાઈ આવે છે તે આ છે – (૪) પિતાના લગભગ ઘણાખરા ગ્રંથના છેલ્લા લોકમાં એમણે ‘વિરહ’ શબ્દનો ઉપયોગ કર્યો છે, અને તે એમના જીવનની કોઈ ખાસ બાબતને સૂચવતો હોય તેમ લાગે છે; (૫) કેવળ જૈનધર્મ વિષેનું જ નહિ, પરંતુ બીજા સંપ્રદાયો વિષેનું પણ એમનું ચોક્કસ જ્ઞાન એમના અનેકાન્ત-જયપતાકા અને તેની ટીકામાં, તેમ જ દિગ્વાગત ન્યાયપ્રવેશ ઉપરના તેમના ટિપ્પણમાં જણાઈ આવે છે: (૬) એમના લખેલા ગ્રંથની સંખ્યા ઘણી મોટી હતી.
૮ આ ગ્રંથમાં હરિભદ્ર આપે છે તેના કરતાં વિશેષ વિગતો જાણવાનું આપણને આવશ્યક લાગે છે; કદાચ ચર્ચિત ફકરા વિષે પોતાની પાછત્તિમાં એમણે એ આપી પણ હોય. પરંતુ આ વૃત્તિ મને અપ્રાપ્ય છે.
૯ આ પ્રમાણે જ્યાં સુધી કારિકાઓમાંના કોઈ અજ્ઞાત કર્તાના મૂળ પ્રબંધ (treatise) ઉપર આનંદવર્ધને વન્યાલોક નામની ટીકા નહોતી રચી અને એમ કરીને ધ્વનિવાદને એટલો બધો સુવ્યક્ત નહોતો કર્યો કે એની પછીના પ્રાયઃ સર્વ અલંકારશાસ્ત્રીઓ એને સ્વીકાર કરે ત્યાં સુધી એ વાદની પણ અવગણના જ થઈ જાય છે. એથી કરીને હું એમ સમજવાને પ્રેરણું છું કે પૂર્વકાલીન બદ્ધધર્મમાં શૂન્યવાદી નાગાર્જુન અને વસુબંધુએ તે તે મને શાસ્ત્રીય પદ્ધતિએ સુપ્રકાશિત ન કર્યા ત્યાં સુધી તે મતો અણુદીઠ રહ્યા અને એની સામે કંઈ પ્રતિરોધ જાગ્યો નહિ.
૧૦ ઉપર્યુક્ત તમામ વિગતે આવશ્યક સૂત્ર ઉપરની શિષ્યહિતા નામની એમની ટીકાના અંતભાગમાં આપેલી છે; અન્ય સ્થળે એ માત્ર એક વી બીજી વિગતને જ ઉલ્લેખ હોય છે,
Aho! Shrutgyanam