________________
એવા ? ].
श्री जिनभद्रगणि क्षमाश्रमणनो समय
[९५
विक्रमार्कशकाब्दीयशतसप्तप्रमाजुषि ।
कालेऽकलंकयतिनो बौद्धैवाँदो महानभूत् ।। સવારંવરિત-એપિંગ્રાફિયા કર્ણાટિકા, વિભાગ રજાની પ્રસ્તાવના ( દ્વિતીયસંસ્કરણ) ' અર્થાત વિક્રમાર્કના શકના સાતમા વર્ષમાં અકલંકયતિને બૌદ્ધો સાથે માટે વાદ થયો. વળી લ્યુઈસ રાઈસ શ્રવણબેલગોલાના શિલાલેખ નામના તેના ગ્રંથમાં કૃષ્ણરાજ તે જ સાહસતુંગ એમ કહેતા નથી. તેમ જ સાહસતુંગ એ અકલંકદેવના સમકાલીન રાજાનું માત્ર બિરુદ જ હતું કે કે રાજાનું નામ હતું તે પણ આપણે કહી શકતા નથી. તેથી આ સ્પષ્ટ ઉલ્લેખ અકલંકના સમયને મળતું હોય અને અન્ય પ્રમાણેથી પણ તે સંભવ હોય તે અકલંક દેવનું અસ્તિત્વ ઈ. સ. ૬૪૪ માં સ્વીકારવું યુક્તિયુક્ત લાગે છે.
હવે અકલંકદેવે કુમારિલ ભ લોકવાતિકમાં અષ્ટશતીના ઉપર્યુક્ત ભાગનું કરેલું ખંડન જેવા છતાં પ્રત્યુત્તર ન આપે, એને એક જ ખુલાસે, એમના જેવા સમર્થવાદી માટે થઈ શકે. તે એ જ કે તેમ કરવાની તક તેમના સ્વર્ગસ્થ થવાથી જ તેમને મળી નહિ હોય. તેથી જ તેમના શિષ્ય વિદ્યાનંદને અષ્ટશતી પર અષ્ટસહસી રચી તે કાર્ય પૂરું કરવું પડ્યું. ઉક્ત ખંડનને પ્રત્યુત્તર આપી ન શકાય તે પરથી અને વાસવદત્તાને સમય ઈ. સ. ૬૪૦ આસપાસને ઉપર નકકી કર્યો છે તે ઉપરથી એમ અનુમાન થાય છે કે ખંડન વહેલામાં વહેલું ઈ. સ. ૧૩૫ માં થયું હશે અને છેવટ ઈ. સ. ૬૪૦ લગભગમાં થયું હશે. સુબંધુ આગલા પાનાંની ટિપ્પણીમાં દર્શાવ્યા પ્રમાણે મીમાંસક હોવાથી, મીમાંસક કુમારિલભટે કરેલું ખંડન તેની દષ્ટિએ વહેલું પડયું હોય અને વાસવદત્તામાં તેણે તે સંબંધમાં દિગંબર દર્શન પર તેથી કટાક્ષ કર્યો હોય. અર્થાત વાસવદત્તાને ઈ. સ. ૬૪૦ આસપાસની આપણે માનીયે અને સાથે સાથે અકલંકદેવનું ઈ. સ. ૬૪૪ માં અસ્તિત્વ સ્વીકારીએ તે કંઈ અયુક્ત નથી.
આ લેખની શરૂઆતમાં દર્શાવ્યું તેમ શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણ વાસવદત્તાને ઉલ્લેખ કરે છે પરંતુ બાણભટ્ટની કાદંબરીને ઉલ્લેખ કરતા નથી. બાણભટ્ટની કાદંબરી જેવી સુપ્રસિદ્ધ આખ્યાયિકાને ઉલ્લેખ ન થાય અને વાસવદત્તાને જ થાય ત્યારે એ જ અનુમાન થઈ શકે કે જિનભદ્રગણિછ બાણભટ્ટના વૃદ્ધ સમકાલીન હશે અને તેમણે શ્રી વિશેષાવશ્યક ભાષ્ય વાસવદત્તાના સમય ઈ. સ. ૬૪૦ પછી અને ઈ. સ. ૬૪પ જે શ્રી હર્ષના અવસાનનું વર્ષ છે તે પહેલાં રચ્યું હશે. કારણ એ છે કે બાણભટ્ટ શ્રી હર્ષને આશ્રિત અને માનિતે હોઇ તેણે કાદંબરી કથા શ્રી હર્ષના જીવન કાલમાં જ તેની પ્રીતિ અર્થે રચી હોવી જોઈયે. આથી એ જ કરે છે કે ભગવાન જિનભગણિ ક્ષમાશ્રમણે ઈ. સ. ના સાતમા સૈકાના પૂર્વાદ્ધમાં જ પિતાની ઉત્તરાવસ્થા ગાળેલી. શ્રી વિશેષાવશ્યક ભાષ્ય જે પ્રઢતાપૂર્ણ ગ્રંથ તેમની ઉત્તરાવસ્થામાં જ રચાય માનવે યુક્તિયુક્ત લાગે છે.
Aho! Shrutgyanam