________________
],
श्री जिनभद्रगणि क्षमाश्रमणनो समय
[ ૧૨
વિશેષમાં મક્ષિણસૂરિએ વિ. સં. ૧૩૪૯ માં રચેલી સ્યાવાદ મંજરીમાં આ ઉલ્લેખ છે –
'यद्यप्यवयवप्रदेशयोर्गन्धहस्त्यादिषु भेदोऽस्ति तथापि नातिसूक्ष्मेक्षिका चिन्त्या'
આ સ્થળે જણાવવું જરૂરી છે કે સિદ્ધસેન દિવાકર ગન્ધહસ્તિ કહેવાતા હતા, અને આચારંગના પ્રથમ અધ્યયન પર તેમનું રચેલું વિવરણ ગન્ધહસ્તિ વિવરણ કહેવાતું હતું. જો કે આજે તે ઉપલબ્ધ નથી. (સંમતિત વિમાન ? , સંપાવલી જિવન પૃ. ૨૨) એથી ખાસ કરીને વેતાંબર ગ્રંથમાં તે સંબંધમાં આવતા ઉલેખે
ક્યા ગન્ધહસ્તિભાષ્યને ઉદ્દેશીને છે તે નક્કી કરવું મુશ્કેલ છે. આ ઉપરથી ગબ્ધહસ્તિ મહાભાષ્યની સંભાવના થઈ શકે છે.
સમીમાંસા પર દિગંબર વાદી પ્રવર અલંકદેવે અબ્દશતી નામની વ્યાખ્યા રચી. આ અષ્ટશતીને “નાજ્ઞા પ્રધાના દિ–” ઈત્યાદિ ભાગ લઈ કુમારિલભદે પિતાના લેક્વાર્તિકમાં ખંડન કર્યું છે. એ આક્ષેપને પ્રત્યુત્તર અકલંકદેવે પોતે આપે નથી અને તેમના શિષ્ય વિદ્યાનંદે અષ્ટ સહસ્ત્રીમાં આવે. તેથી એવું અનુમાન થાય છે કે અકલંકદેવ કુમારિક પહેલાં જ સ્વર્ગસ્થ થયા હશે.
હવે પં. બેચરદાસ જેનદર્શનની પ્રસ્તાવનામાં (પૃ. ૧૦૨) લખે છે કે –“એ જ યાત્રીએ (ઈસિંગે) પિતાના દેશમાં જઈને ઈ. સ. ૬૯૫ માં લખેલા પ્રવાસવર્ણનમાં શ્રી ભર્તુહરિને મૃત્યુસમય ઈ. સ. ૬૫૦ ને નેધેલ છે. પ્રસિદ્ધ મીમાંસક કુમારિલે તંત્રવાર્તિકમાં (પૃ. ૨૦–૨૧) પોતાના પૂર્વવતી વૈયાકરણ ભર્તુહરિના મતનું આલેચન કરેલું છે. એટલે એ મીમાંસક ઈ. સ. ૮ મી સદીમાં (પૂર્વાર્ધમાં) થએલા હેવા જોઈએ.” પરંતુ એ કાંઈ નિશ્ચાત્મક પ્રમાણ માલમ પડતું નથી. કેઈપણ સમાચક માટે પોતાના પૂર્વવતી ગ્રંથકારની સમાલોચના જેટલી શકય છે તેટલી જ સમકાલીન ગ્રંથકારની સમાલોચના શકય છે. તેથી કુમારિલભટ્ટનું અસ્તિત્વ ઈ. સ. ૫૦ ની આસપાસનું હોય એ શક્ય છે. અને જ્યારે કુમારિક અકલંક સાથે, અને કુમારિક અને - ૧ અષ્ટશતી ઉપરાંત રાજવાર્તિક નામનું તત્ત્વાર્થભાષ્ય, ન્યાયવિનિશ્ચય, સિદ્ધિવિનિશ્ચય. લવીયઅયી, બહતત્રયી, ભાષામંજરી, તથા સ્વરૂપ સંબંધના એ એકલંક દેવના લભ્ય ગ્રંથ છે. ન્યાયચૂલિકા એમણે રચી સંભળાય છે. અકલંકસ્તોત્ર તથા અકલંક પ્રાયશ્ચિત્ત એ અકલંકદેવની સંદિગ્ધ કૃતિઓ છે. સિદ્ધિ વિનિશ્ચય ગ્રંથનો ઉલ્લેખ ઘણું વેતાંબર ગ્રંથમાં પણ સમાન થયેલો છે. તે પર આશરે ૧૮૦૦૦
ક પ્રમાણે અનંતવીર્યકૃત ટીકા છે જેની એક નવીન પ્રતિ શ્રી જેન જે. કન્ફરંસમાં છે. ન્યાયવિનિશ્ચય પર વાદિરાજકૃત ૨૦૦૦૦ લેક પ્રમાણુ મહત્ત્વપૂર્ણ ટીકા છે, અને લવીયસ્રયી પર ૧૬૦૦૦ લોક પ્રમાણુ પ્રભાચંદ્રાચાર્ય કૃત ન્યાયકુમુદચંદ્રોદય નામની ટીકા છે.
૨ અષ્ટસહસ્ત્રી ઉપરાંત તત્વાર્થ શ્લોકવાર્તિક, આપ્તપરીક્ષા, પ્રમાણુ પરીક્ષા, પત્ર પરીક્ષા, સત્યશાસન પરીક્ષા, શ્રીપુરપાર્શ્વનાથસ્તોત્ર, જિનૈકગુણસંસ્તુતિ, અને યુત્યનુશાસનવૃતિ આદિ ગ્રન્થ રચ્યા છે. એમના તે ઉપરાંત અનુપલબ્ધ ગ્રંથમાં સૃષ્ટિ પરીક્ષા, તર્ક પરીક્ષા પ્રમાણનિર્ણય ગ્રન્થ છે એમ અનુમાન થાય છે,
Aho! Shrutgyanam