________________
Shri Ashtapad Maha Tirth
કુમારો પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના વંશના સુપુત્રો છો તેથી અમે ક્રોધનો ઉદય દબાવી દઈ કાંઈ કરી શકતા નથી. હવેથી આવું કામ કરતા નહિ, કારણ કે તમારા આ પ્રયત્નથી અમારા રત્નનાં ભવનો રજરેણુથી મેલાં થઈ ગયાં છે. તે પછી નાગદેવો પોતાના સ્થાનમાં ગયા. ત્યાર પછી ભવિતવ્યતા બળવાન હોવાથી અને અષ્ટાપદ જેવા મહાતીર્થની આશાતના દૂર કરવા માટે રક્ષણ અતિઆવશ્યકતા ભરેલું લાગવાથી એક જુદો વિચાર કરે છે. એકલી ખાઈથી બરાબર રક્ષણ ન થાય માટે ગંગાનદીનાં પાણીથી એ ખાઈ આપણે ભરી દઈએ કે જેથી ઘણા કાળપયંત તીર્થરક્ષા થાય. આમ ચિંતવી દંડરત્નના બળથી ગંગા નદીનું પાણી આકર્ષી ખાઈ ભરાવી. ત્યારબાદ પાણીનાં મોટાં પૂરો નાગનિકાયને મલીન કરવા લાગ્યાં. તેથી નાગલોકનો ક્રોધ પાછો ફરી વિકરાળરૂપે પ્રગટ થયો. આથી સાઠ હજાર કુમારોને બાળીને ભસ્મ કર્યા. પરંતુ તીર્થના રક્ષણનો ભાવ હોવાથી અને સમુદાય કર્મના ઉદયને ભોગવીને બધા સાઠ હજાર કુમારો બારમે દેવલોકે ગયા. શ્રી દીપવિજયજી મહારાજ જણાવે છે કે જુઓ જુઓ ! શ્રી અષ્ટાપદતીર્થનું સામ્રાજ્ય તથા સાઠ હજાર કુમારોની તીર્થભક્તિ ! ૧ થી ૮
| મંત્રઃ પૂર્વવત્ જાણવો.//
| શ્લોક છે. કટકકર્મ વિપાકવિનાશન, સરસપકવફલકૃઢીકનમ્ |
વિહિતવૃક્ષફલસ્ય વિભોર પુરા, કુરુત સિદ્ધિફલાય મહાજનાઃ ૧|| અર્થ – હે મહાનું જનો ! (પૂજાના રસિક જીવો) કટુક કર્મના વિપાકને નાશ કરનાર, સરસ પકવ ફલથી કરાયેલું એવું વૃક્ષના ફલનું ભેટશું વિધિસર પ્રભુની આગળ મુક્તિના ફળને અર્થે ધરો ૧/l.
છે અષ્ટમ નૈવેદ્ય પૂજા પ્રારંભ છે
(દોહા) નૈવેદ્ય પૂજા આઠમી, ભાતિ શત પકવાન છે
થાળ ભરી જિન આગળ, ઠવિયે ચતુર સુજાણ તેના અર્થ – હે ચતુર સુજાણ ! (પૂજારસિક જીવો !) આઠમી નૈવેદ્ય પૂજામાં હજારો જાતિનાં પકવાન્ન સહિત થાળ ભરીને જિનેશ્વર ભગવાનની આગળ સ્થાપન કરો ૧.
ઢાળ આઠમી છે (શ્રાવણ વરસે રે સ્વામી. મેલી ન જાઓ રે અંતરજામી-એ દેશી)
ભરતેશ્વરને રે વારે, અષ્ટાપદ થયું તે વારે છે ચક્રી સગરથી રે ખાઈ, અષ્ટાપદ ગિરિરાજ વડાઈ ૧ વંદો તીરથ રે વારુ, ચોવીશ જિન પડિયા જગતારુ
| વંદો તીરથ0 | અજિત જિનેશ્વરથી રે જાણો, પંચમ આરો અંત પ્રમાણો . પચાસ લાખ કોડ રે સાગર, બાવીસ જિનપતિ ગુણરત્નાકર ! અડધો આરો ગુણ રત્નાકર કે વંદો ને ચોવીશ કેરા
–
353
–
-
Ashtapad Tirth Pooja