________________
Shri Ashtapad Maha Tirth
અભિષેકોના નામ પૂજાના વિશેષ ભાવાર્થમાં કહેવાશે. આ અભિષેક કરવાનો ઈંદ્રોનો અનાદિકાળનો કલ્પ છે અને ભવિષ્યમાં અનંતકાળમાં પણ આ પ્રકારનો કલ્પ વિદ્યમાન રહેશે. તે ૧ થી ૪ |
તે વખતે ઇંદ્ર મહારાજા મરૂદેવી માતાને સારી સારી આશિષો આપે છે. ચાર ઘડી રાત પાછલી બાકી રહે છે ત્યારે મેરુપર્વતના સ્નાત્રની પૂર્ણાહુતિ કરી પ્રભુજીને માતા પાસે લાવે છે અને અવસ્થાપિની નિદ્રા હરી લઈ પ્રભુને સુપ્રત કરે છે. જમણા અંગૂઠામાં ઈન્દ્ર અમૃતનું સિંચન કરે છે. ત્યારબાદ નાભિરાજા અને ઇન્દ્ર મળીને પ્રભુજીનું શ્રી ઋષભદેવ એવું નામ સ્થાપન કરે છે. ત્યાર પછી ઉંમર થયે સુનંદા અને સુમંગલાની સાથે ભગવાનનું પાણિગ્રહણ થાય છે. પ્રભુજીને સંતતિમાં સો પુત્ર અને બે પુત્રીઓ થાય છે. પ્રભુજી ભાઈ-બહેનના સંભોગ નિવારી યુગલાધર્મનું નિવારણ કરે છે. બાહુબલીની સાથે બ્રાહ્મીનું અને ભરતની સાથે સુંદરીનું સગપણ (વિવાહ) ઠરાવે છે. આવા અવસર્પિણીકાળના અનંતા આરા કલ્પ પ્રમાણે થયા છે, થાય છે, અને થશે, કવિરત્ન શ્રી દીપવિજયજી મહારાજ કહે છે કે ઋષભ પ્રભુના પસાયથી અમને હંમેશાં ધર્મની પ્રાપ્તિ થાઓ. એ માટે પ્રભુની ભક્તિના રસિક જીવો માંગલિક નામો અહોનિશ ગાય છે. પ--૭-૮
| ઢાળ |
(ગીત - હું તો મોહી રે નંદલાલ મોરલીને તાને, તથા
મહારે દીવાળી થઈ આજ, પ્રભુમુખ જોવાને-એ દેશી) ઋષભના વંશ ને ગોત્ર વખાણું, સ્થાપ્યાં જે સુરરાજે રે એક કોડાકોડીસાગર માંહે, પ્રત્યક્ષ વરતે આજ ના
ધનધન એ કલને રે ,
જેમાં પ્રગટયા જિન બાવીસ, ધન ધન એ કુલને રે એ આંકણી પંચ મેઘથી હુઈ વનરાઈ, હુઓ કાશ સમુદાય રે ! સાત વાર ફરી ફરીને ઊગે, શેલડી તેહની થાય
ધન જેમાં મારા પ્રભુનાં ગોત્ર વંશને કરવા, હરિ ઉછરંગે જાયે રો મારગમાંથી શેલડી સાંઠો, લેઈ જિન પાસે આવે
! ધન છે જેમાં૦ ૩ હાથ પસારી લેઈ ઋષભજી, ઇન્દ્ર અવસર જાણી રે ! કાશ્યપ ગોત્ર વંશ ઈક્વારા એ, થાપે કહી સુરવાણી
ધન છે જેમાં જા નેમનાથ મુનિસુવ્રત જિનનો, શ્રી હરિવંશ સોહાવે રે . એ દોય પ્રભુના ગુણ રત્નાકર, ગૌતમ ગોત્ર સોહાવે
ધનવે જેમાં) પા બાવીસ જિન સહુ કાશ્યપગોત્રી, ઈક્વાગ વંશી છાજે રે .. એ માંહેથી છત્રીસ કુલ પ્રગટયા, રાજકુલી જેહ રાજે
છે ધનવે જેમાં૦ ૬ - 338 ,
Ashtapad Tirth Pooja