SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિણ કરેલે દેખાય છે, તેના મસ્તક ઉપર એક સેવકે પાછળ ઊભા રહીને બે હાથે છત્ર પકડીને ધરેલું છે. છત્ર ધરનારની પાછળ બીછ એક પુરુષ વ્યક્તિ બે હાથની અંજલિ જેડીને તથા ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં બે પુરુષ વ્યકિતઓ પિતાના બંને ઢીંચણ પૃથ્વીતળને ઈન્દ્રની માફક જ અડાડીને ભક્તિ કરવા માટે તત્પરતા બતાવતી ચિત્રકારે રતિરેલી છે. આ ચિત્રમાં દરેક આકૃતિના કપડામાં મૂળચિત્રમાં જુદી જુદી જાતની ડિઝાઈને છેતરવા માટે જુદી જુદી જાતના રંગે જેવા કે ગુલાબી, પીરેજી, આસમાની વગેરે રંગોને તાડપત્રની પ્રતે ઉપર પહેલવહેલી વાર જ ઉપગ કરેલો છે. અગાઉનાં ચિત્રોમાં જુદી જુદી જાતના સ્ત્રીઓના પહેરવેશની રજૂઆત આપણે કરી ગયા છીએ, પરંતુ પુરુષ વ્યક્તિઓના પહેરવેશમાં જુદી જુદી જાતની ડિઝાઈનોની રજૂ, આત આ પ્રતનાં ચિત્રો સિવાય બીજી કોઇપણ પ્રતમાં રજૂ કરવામાં આવેલી દેખાતી નથી. આ ચિત્ર ઉપરથી પ્રાચીન સમયમાં ગુજરાતનાં પુરુષ પાત્રો કેવી વિવિધ જાતનાં અને રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરતાં હતાં તેને ખ્યાલ આવે છે. ચિત્ર ર૯ શક્રાજ્ઞા. ઈડરની પ્રતના પાના ૧૨ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૨૪ર૩ ઇંચ છે. શાસ્તવ કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કરીને, ઈન્દ્ર પોતાના સિહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠે. ત્યાર પછી દેવના રાજા શક્રેન્દ્રને વિચાર થયે કે તીર્થક, ચક્રવર્તીએ, બલદેવો અને વાસુદેવે માત્ર શુદ્ધ અને ઉચ્ચ ક્ષત્રિયકુળમાં જ જન્મ લઈ શકે. તેથી તુચ્છ, ભિક્ષુ અને નીચ એવા બ્રાહમણ કુળમાં મહાવીરના જીવનું અવતરવું યોગ્ય નથી, એમ વિચારી શ્રમણ ભગવાન મહાવીરના ગર્ભને ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિને વિષે મકવાનો નિશ્ચય કર્યો. તેમજ ત્રિશલા ક્ષત્રિયાણીને પત્રીપે જે ગર્ભ હતો તેને દેવાનન્દા બ્રાધણીની કુક્ષિમાં મૂક્યાનો વિચાર કર્યો. નિશ્ચય કરીને પદાતિ સૈન્યના અધિપતિ હરિપ્લેગમેલી નામના દેવને બોલાવી પિતાની આખી જનાની સમજૂતી આપતાં કહ્યું કેઃ “હે દેવાનુપ્રિયા ના ઈન્દ્ર અને રવાના રાજા તરીકે મારો એ આચાર છે કે ભગવાન અરિહંતોને શુદ્ધ કુળમાંથી વિશુદ્ધ કુળમાં સમાવવા. માટે હે દેવાનુપ્રિય! તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને રેવાનના બાંધણીની કક્ષમાંથી હરી, ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિને વિષે ગર્ભપણે સંક્રમાવ અને ત્રિશાલા ક્ષત્રિયાણીને જે ગર્ભ છે તેને દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિામાં ગર્ભપણે સંક્રમા. આટલું કામ પતાવીને જલદી પાછે આવું અને મને નિવેદન કર.' આ ઘટનાને લગતી જ ઘટના કૃષ્ણના સંબંધમાં બન્યાનો ઉલ્લેખ ભાગવત, દશમરકલ્પ, અ. ૨, હે. ૧ થી ૧૩, તથા અ. ૩, ૪૬ થી પ૦માં જોવામાં આવે છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે “અસુરેને ઉપદ્રવ મટાડવા દેવની પ્રાર્થનાથી અવતાર લેવાનું નક્કી કરી વિષ્ણુએ ચોગમાયા નામની પિતાની શક્તિને બોલાવી. પછી તેને સંબોધી વિષ્ણુએ કહ્યું કે તું જ અને દેવકીના ગર્ભમાં મારે શેષ અંશ આવે છે તેને ત્યાંથી (સંકર્ષણ) હરણ કરી વસુદેવની જ બીજી સ્ત્રી રોહિણીના ગર્ભમાં દાખલ કર. જે પછી બળભદ્રનામરૂપે અવતાર લેશે અને તે નંદપત્ની યશદાને ત્યાં પુત્રીરૂપે અવતાર પામીશ. જ્યારે હું દેવકીના આઠમા ગરૂપે અવતાર લઈ જન્મીશ ત્યારે તારે પણ યશદાને ત્યાં જન્મ થશે. સમકાળે જન્મેલા આપણા બંનેનું એકબીજાને ત્યાં પરિવર્તન થશે.’ "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy