SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ગયેલા પાણીનું ટપકું, ૩ ધૂમસ, ૪ કરા, ૫ હુરતનુ——ધાસની ટોચ ઊપર બાઝેલાં પાણીનાં ટીપાં, છદ્મસ્થ નિશ્ર્ચયે કે નિગ્રંથીએ એ પાંચે સ્નેહસૂક્ષ્મ વારંવાર વારંવાર જાણવાનાં છે, જોવાનાં છે, પડિલેહવાનાં છે. એ સ્નેહસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ, એ રીતે આઠે સૂક્ષ્માની સમજુતી થઈ ગઇ. ૨૭૪ વર્ષાવાસ રહેલા ભિક્ષુ, આહાર માટે અથવા પાણી માટે ગૃહસ્થના કુલ ભણી નીકળવાનું ઇચ્છે અથવા તે તરફ પેસવાનું ઇચ્છે તે આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રવર્તકને, ને, ગણધરને, ગણાવચ્છેદકને અથવા જે કે,ને પ્રમુખ કરીને વિહરતા હોય તેમને પૂછ્યા વિના તેને તેમ કરવાનું ને ખપે. આચાર્યંને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રવર્તકને, ગણને, ગણધરને, ગણાવચ્છેદકને અથવા. જે કાઈને પ્રમુખ માનીને વિહરતે હોય તેમને પૂછીને તેને તેમ કરવાનું ખપે, ભિક્ષુ તેમને આ રીતે પૂછે: હે ભગવન્ ! તમારી સમ્મતિ પામેલે છતા હું ગૃહપત્તિના કુલ ભણી આહાર સારુ અથવા પાણી સારું નીકળવા ઇચ્છું છું કે પેસવા ઈચ્છું છું,' આમ પૂછ્યા પછી જો તેઓ તેને સમ્મતિ આપે તે એ રીતે તે ભિન્નુને ગૃહસ્થના કુલ બક્ષી આહાર માટે કે પાણી માટે નીકળવું અથવા પેસવું ખપે અને જો તેઓ તેને સમ્મતિ ન આપે તે ભિક્ષુને આહાર માટે અથવા પાણી માટે ગૃહસ્થન! કુલ ભણી નીકળવું અથવા પેસવું ને ખપે. ** -હે ભગવન્ ! તે એમ કેમ કહેા છે ? ઉ-સમ્મતિ આપવામાં કે ન આપવામાં આચાર્યો પ્રત્યવાયને એટલે વિઘ્નને ~~~આફતને જાણતા હાય છે. ૨૭૫ એ જ પ્રમાણે વિહારભૂમિ તરફ જવા સારુ અથવા વિચારભૂમિ તરફ જવા સારું અથવા ખીજું જે કાંઈ પ્રયાજન પડે તે સારું અથવા એક ગામથી બીજે ગામ જવા સારું એ બધી પ્રવૃત્તિએ માટે ઊપર પ્રમાણે જાવું. ૨૭૬ વર્ષીવાસ રહેલે ભિક્ષુ કોઇપણ એક વિગચને ખાવા ઈચ્છે તે આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા વિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગમ્મુધરને, ગણુાવચ્છેદકને અથવા જે કોઈને પ્રમુખ ગણીને વિહરતા હોય તેમને પૂછ્યા વિના તેને તેમ કરવાનું ને ખપે. આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા વિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગધરને, ગણુાવછેકને અથવા જે ફાઇને પ્રમુખ માનીને વિહરતા હૈાય તેમને પૂછીને તેને તેમ કરવાનું ખપે. ભિક્ષુ તેમને આ રીતે પૂછે; ‘હે ભગવન્ ! તમારી સમ્મતિ પામેલે છતે હું કઈ પણ એક વિગયને આટલા પ્રમાણમાં અને આટલીવાર ખાવા સારું ઈચ્છું છું.’ આમ પૂછ્યા પછી જો તેઓ તેને સમ્મતિ આપે તે એ રીતે તે ભિક્ષુને કાઇપણું એક વિગય ખાવી ખપે, જે તે તેને સમ્મતિ ન આપે તે તે ભિક્ષુને એ રીતે કોઈ પણ એક વિગય ખાવી ને ખપે. "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy