SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ પમ જેટલી આયુષ્યની સ્થિતિ હતી–ચવતી વેળાએ ભગવાનનું તે આયુષ્ય ક્ષણ થએલ હતું, ભગવાનને દેવભવ તન ક્ષીણ થએલ હતો, ભગવાનની દેવવિમાનમાં રહેવાની સ્થિતિ ક્ષીણ થએલ હતી આ બધું ક્ષીણ થતાં જ તરત ભગવાન તે દેવવિમાનમાંથી ચવીને અહીં દેવાનંદી માહણની કૂખમાં ગર્ભરૂપે આવ્યા. જ્યારે ભગવાન દેવાનંદાની છૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે અહીં જંબુદ્વીય નામના દ્વીપમાં, ભારતવર્ષમાં, દક્ષિણાઈ ભરતમાં આ અવસર્પિણના સુષમસુષમા, સુષમા અને સુષમદુઃષમા નામના આરાઓને સમય તદ્દન પૂરો થઈ ગયો હતો. દુષમસુષમા નામને આરે લગભગ વીતી ગયો હતો એટલે એક કડાકડી સાગરોપમ પ્રમાણુ–દુઃષમસુષમા નામનો આરો વીતી ચૂક હા, હવે માત્ર તે દરષમસુષમાં આરાનાં તાલીશ હજાર અને પંચાર વરસ તથા સાડા આઠ માસ જ બાકી રહ્યા હતા, તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, ભગવાન ગર્ભરૂપે આવ્યા પહેલાં ઈકવાકુકુલમાં જનમ પામેલા અને કાશ્યપત્રિવાળા એકવીશ તીર્થકરે કમેક્રેમે થઈ ચૂકયા હતા, હરિવંશકુલમાં જનમ પામેલા ગોતમ ત્રવાળા બીજા બે તીર્થ કર થઈ ચૂક્યા હતા અર્થાત્ એ રીતે ફૂલ તેવીશ તીર્થંકરો થઈ ચૂકયા હતા તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, આગળના તીર્થકરેએ હવે પછી શ્રમણ ભગવાન મહાવીર છેલ્લા તીર્થકર થશે? એ પ્રમાણે ભગવાન મહાવીર વિશે નિર્દેશ કરેલ હતો. આ રીતે ઉપર કહ્યા પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર આગલી રાતની છેવટમાં અને પાછલી રાતની શરૂઆતમાં એટલે બરાબર મધરાતને સમયે હસ્તત્તરા-ઉત્તરાફાલ્ગની -નક્ષત્રને વેગ થતાં જ દેવાનંદાની કૂખમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. વળી ભગવાન જ્યારે કૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે તેમનો આગલા દેવભવને ચોગ્ય આહાર, દેવભવની હયાતી અને દેવભવનું શરીર છુટી ગયાં હતાં અને વર્તમાન માનવભવને ચગ્ય આહાર, માનવભવની હયાતી અને માનવભવનું શરીર તેમને સાંપડી ગયાં હતાં. ૩ શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પર્ણ હતા હવે દેવભવમાંથી હું ચવીશ એમ તેઓ જાણે છે. “વર્તમાનમાં દેવભવમાંથી હું ચ્યવમાન છુંએમ તેઓ જાણતા નથી. “હવે દેવભવથી હું ચુત થએલે છું” એમ તેઓ જાણે છે. ૪ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જાલંધરગેત્રની દેવાનંદા માહણની કૂખમાં ગર્ભરૂપે આવ્યા તે રાત્રે સૂતી જાગતી તે દેવાનંદ માણી લેજ-પથારીમાં સૂતાં સૂતાં આ પ્રકારનાં ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય અને મંગલરૂપ તથા શેાભાસહિત એવાં ચોદ મહાસ્વપ્નને જોઈને જાગી ગઈ.. આવ્યો અને ભવ્યતા નકારી ૫ તે ચૌદ સ્વપ્નનાં નામ આ પ્રમાણે છે:– ૧ ગજ-હાથી, ૨ વૃષભ-બળદ, ૩ સિંહ, ૪ અભિષેક-લક્ષ્મીદેવીને અભિષેક, પ માળા-ફૂલની માળા, ૧ ચંદ્ર, ૭ સૂર્ય "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy