________________
પવિત્ર કલ્પસૂત્ર
૬૮
શરીરને તેણે વિદારી નાખ્યું. (૧૩) છતાં પણ પ્રભુને ધ્યાનમાં અચળ જોઇ સંગમે સિદ્ધાર્થ રાજા અમે ત્રિશલા માતાનું રૂપ લીધું. તેઓ જાણે કરુણાજનક વિલાપ કરીને એલવા લાગ્યા કેઃ હૈ પુત્ર ! તે આવી દુષ્કર દીક્ષા શું કરવા લીધી. અમે ઘણાં દુ:ખી થઈ આડાંઅવળાં નિરાધાર ભિખારીની જેમ રઝળીએ છીએ, તું અમારી સંભાળ કેમ નથી લેતા ? આવા વિલાપથી પણ પ્રભુ ધ્યાનમાં નિશ્ચલ જ રહ્યા. (૧૪) ત્યારે સંગમે એક છાવણી વિષુવી. તે છાવણીના માણુસેકએ પ્રભુના પગ વચ્ચે અગ્નિ સળગાવી ભાત રાંધવા પગ ઉપર વાસણ મૂકયું. અગ્નિ એટલે અંધા આકરે કર્યો કે પ્રભુના પગ નીચેથી પણ અળવા લાગ્યા. (૧૫) તે પછી એક ચાંડાલ વિષુબ્ધ. તે ચાંડાલે પ્રભુની ડેાકમાં; એ કાનમાં, એ ભુજામાં અને એ જંઘા વગેરે અવયવ ઉપર પક્ષીઓાનાં પાંજરાં લટકાવ્યાં. પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહારા એટલા બધા કર્યાં કે પ્રભુનું શરીર પાંજરા જેવા છિદ્રવાળું થઈ ગયું. (૧૬) તે પછી પ્રચંડ પવન વિકુર્યાં. એ પવનથી પવતા પણુ કંપવા લાગ્યા. પ્રભુને ઉપાડીને નીચે પટકી દીધા. (૧૭) વળી એક ભયંકર વટાવી ઉપજાવી, કુંભારના ચાકડાની ઉપર રહેલા માટીના પિંડની પેઠે પ્રભુને ખૂબ ભમાવ્યા. (૧૮) તે પછી સંગમે ક્રોધે ભરાઈને હજારભાર જેટલું વજનદાર એક કાળચક્ર વિકળ્યું. તે કાળચક્ર ઉપાડી જેરથી પ્રભુના શરીર ઉપર નાખ્યું. તે ચક્ર પ્રભુના શરીર ઉપર પડવાથી તેઓ ઢીંચણુ સુધી જમીનમાં પેસી ગયા. (૧૯) તે પછી કંટાળીને છેલામાં છેલ્લા અનુકૂળ ઉપસર્ગો અજમાયશ કરવાને વિચાર કરીને, રાત્રિ હાવા છતાં પ્રભાત વિકળ્યું. માણસો આમતેમ ફરવા લાગ્યા અને તેએ પ્રભુને કહેવા લાગ્યા કે: હે દેવાર્ય ! પ્રભાત થઈ ગયું. છતાં આમ ધ્યાનમાં ને ધ્યાનમાં કયાં સુધી રહેશે ? ઊઠા-આપના ધ્યાનના સમય તા કયારને ચે પૂરા થઈ ગયેા.’ પણ પ્રભુ તે પોતાના ધ્યાનમાં રાત્રિ ભાળી રહ્યા હતા, તેથી જરા પણ ન ડગ્યા. (૨૦) આખરે તેણે દેવદ્ધિ વિકુર્તી, અને વિમાનમાં બેસી પ્રભુને લલચાવવા લાગ્યું કે હું મહર્ષિ ! હું આપનું આવું ઉગ્ર તપ અને પવિત્ર સત્ય નિહાળી ભારે પ્રસન્ન થયા છું તે આપને જે જોઇએ તે માગી લે. કહે તે તમને સ્વર્ગમાં લઈ જઉં, કહા તે મેક્ષમાં લઈ જઉં.' એ મીઠા શબ્દોથી પણ પ્રભુ ન તાભાયા, એટલે તેણે તત્કાળ કામદેવની સેના જેવી દેવાંગનાએ વિકર્ષી. તે દેવાંગનાએએ હાવભાવાદિ ઘણા ઉપસર્ગ કર્યાં પશુ એક રૂંવાડું ચે ન ફરકયું તે ન ફરકયું. એવી રીતે દુષ્ટ સંગમે એક રાત્રિમાં મેટામેટા વીસ ઉપસગેર્યાં કર્યા, છતાં પ્રભુએ તે તેના તર* દયાર્દષ્ટિ જ વર્ષોવી. ધન્ય છે મહાવીરની અસીમ કરુણાને !
ચિત્રમાં વચ્ચે મહાવીર પ્રભુ કાઉસગ્ગાને ઊભા છે. આ ચિત્રમાં આભૂષણે વગેરે જે પહેરાવેલાં છે તે ચિત્રકારની અણુસમજણને આભારી છે, કપાળમાં બ્રાહ્મણનું તિલક કર્યું છે તે પણ અવાસ્તવિક છે; સાધુને કપાળમાં તિલક હાય જ નહિ. પ્રભુના મસ્તકના ઉપરના ભાગમાં બે હરણ જેવાં પ્રાણી છે, વર્ણનમાં હરણનો ઉલ્લેખ માત્ર પણ નથી. કાન અગાડી અંતે બાજીથી બંને હાથેાથી પવનને આમંત્રિત કરતી બે પુરૂષ-વ્યક્તિએ ઊભેલી છે. જમણી બાજુ વીંછી, વાઘ તથા છાવણીનો લશ્કરી પઠાણુ સિયાઇ પ્રભુના જમણા પગ ઉપર ભાત રાંધવાનું વાસણ મૂકીને ભાત રાંધતા ઊભેલા દેખાય છે. ડાબી બાજુ સર્પ, હાથી, નોળિયે તથા ડાબા પગ ઉપર
"Aho Shrut Gyanam"