SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ પs ચિત્ર ૨૪૭ શ્રીબાહુબલિની તપસ્યા. કાંતિવિ. ૧ ના પાના ૭૩ ઉપરથી. શ્રી અષભદેવ પ્રભુના બીજા પુત્ર બાહુબલિ મુનિએ સર્વ સાવધને ત્યાગ કર્યો, પણ અભિમાનને ત્યાગ ન કરી શક્યા. તેમને વિચાર થયો કેઃ “જે હું હમણુને હમણાં જ પ્રભુ પાસે જઈશ તો મારે માસ નાના ભાઈ, પણ દીક્ષાપ થી મોટા ગણાતા ભાઈઓને વંદન કરવું પડશે. હું ઉંમરમાં તથા બલમાં પણ આ માટે હોવા છતાં નાના ભાઈઓને વંદન કરું એ કેમ બને ? એટલે જ્યારે મને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ પ્રભુ પાસે જવાનું રાખીશ.” આવા અહંકારને અહંકારમાં જ એક વર્ષ પર્યત કાઉસગ્ગાનમાં ઊભા રહ્યા. વરસને અંતે શ્રી ઋષભદેવ પ્રભુએ મોકલેલી બ્રાહ્મી અને સુંદરી નામની તેમની બે સાદેવી બહેનેએ આવીને કહ્યું કેઃ “હે ભાઈ ! અભિમાનરૂપી હાથીથી નીચે ઉતારો. બાહુબલિના હદય ઉપર એ પ્રતિબંધની તાત્કાલિક અસર થઈ અને અહંકારરૂપી હાથી થકી નીચે ઉતરી જે પગ ઉપાડ્યો કે તુરત જ તેમને કેવલજ્ઞાન ઉપન્ન થયું. ચિત્રની મધ્યમાં બાહુબલિ મુનિ કાઉસગ્નધ્યાનમાં ઊભેલા છે, આજુબાજુ ઝાડ ઊગેલાં છે, નીચે બંને સાથ્વી બહેને આવીને પ્રતિબંધ કરતી ઊભેલી છે. ચિત્ર ૪૮: શ્રીશદ્વૈભવ ભટ્ટ અને જન સાધુએ. કાંતિવિ, ૧ના પાન ૭૬ ઉપરથી. એક દિવસે શ્રી આર્ય પ્રભવસ્વામીએ પિતાની પાટે સ્થાપવાને ચગ્ય કઈ પિતાના ગણમાં કે સંઘમાં છે કે નહીં તે જાણવા જ્ઞાનને ઉપગ મૂક્યો, પણ તે એગ્ય પુરુષ દેખાશે નહિ; તેથી બીજા સંપ્રદાયમાં ઉપયોગ મૂકતાં રાજગૃહ નગરમાં યજ્ઞ કરતો શય્યભવ ભટ્ટ તેમના જોવામાં આવ્યો. પછી તેઓશ્રીની પ્રેરણાથી બે શિવે ત્યાં ગયા અને બેલ્યા કે, “જો દમ તરં ન જ્ઞાચતે ' એટલે કે ખરેખર આ તે કટ જ છે, શ્રેષ્ઠ તત્ત્વ કાંઈ જણાતું નથી ! ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે, તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના યજ્ઞના ચિત્રથી થાય છે. શર્યાભવ ભટ્ટ યજ્ઞ કરતા દેખાય છે અને બાજુમાં ઉભા રહેલા છે જેને સાધુઓ ઉપરના શબ્દો હાથ ઊંચા કરીને બાલતા દેખાય છે ! આ સાંભળીને યજ્ઞ કરતાં કરતાં શચંભવ ભટ્ટે પિતાના બ્રાહ્મણ ગુરુને આ બાબતને ખુલાસો પૂછતાં યોગ્ય ઉત્તર નહિ મળવાથી ચિત્રના અનુસંધાને, નીચેના પ્રસંગમાં વર્ણવેલ, પ્રભવસ્વામી પાસે તત્ત્વની ચર્ચાને પ્રસંગ જેવાને છે. પ્રભવવામી ભદ્રાસન પર બેઠેલા છે, સામે શય્યભવ ભટ્ટ તત્ત્વની ચર્ચા કરતા દેખાય છે. ચિત્ર ર૯ આર્યવને પુણ્યપ્રભાવ. કાંતિવિ. ૧ના પાના ૭૯ની બીજી બાજુ ઉપરથી. વર્ણન માટે જુઓ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૧૮નું વર્ણન. Plate LX ચિવ રપઃ શક્રેસ્તવ. ડહેલા ૨ના પાના ૮ ઉપરથી વન માટે જુઓ આજ પ્રસંગને લગતું ચિત્ર ૨૮નું વર્ણન. ચિત્રમાં ઈન્દ્ર સિંહાસનની નીચે પિતાને ડાબો ઢીંચણ ઊભો રાખીને તથા જમણે ઢીંચણ જમીનને અડાડીને શસ્તવ બલતે બેઠેલે છે. ઇન્દ્રના ચાર હાથે પૈકી બે હાથ અભય મદ્રાએ રાખેલ છે, નીચા રાખેલા જમણા હાથમાં ફલ છે તથા બીજા ઊંચા કરેલા "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy