________________
પર બીજી બે સ્ત્રીઓ બંને હાથથી પકડેલા સુખડના ટુકડાથી અંગ-વિલેપન કરવાનાં દ્રવ્ય વસતી હોય એમ સ્પષ્ટ દેખાય છે. ચિત્રકારે પ્રસંગની રજૂઆત બહુ સુંદર રીતે કરેલી છે.
ચિત્ર ર૩૦: આમલકી ક્રીડા. સેહન. પાના ૩૪ ઉપરથી. વર્ણન માટે જુઓ આ ચિત્રને લગતું જ ચિત્ર ર૨૪નું આમલકી કીડાનું વર્ણન.
આ ચિત્રમાં વર્ધમાનકુમારે માથે મુકુટ તથા કાનમાં કુંડળ વગેરે આભૂષણે પહેરેલાં છે અને ડાબા હાથે ઝાડને વિટાઈ વળેલા સપને મેં આગળથી પકડેલો છે. વર્ધમાનકુમારની પાછળ એ તથા ઉપરના ભાગમાં ત્રણ બીજા છોકરાઓ ચીતરેલા છે. ઠેઠ નીચેના ભાગમાં બંને બાજુ એકેક ઝાડ રજૂ કરેલું છે. મધ્યમાં દેવના ઉપર બેઠેલા વર્ધમાન અને તેમના જમણા હાથની મૃષ્ટિને પ્રહાર સહન નહિ થવાથી કમ્મરમાંથી વળી જઈને ઘેડા જે બની ગએલે દેવ ચીતરેલા છે. વળી નજીકમાં ઊભો રહેલે એક છોકરો જમણો હાથ ઊંચા કરીને બીજા છોકરાઓને બોલાવીને વર્ધમાનકુમારના આ પરાક્રમને પ્રસંગ બતાવતો હોય એમ લાગે છે.
Plate LIV ચિત્ર ૨૩૧. પ્રભુ મહાવીરની દીક્ષા. હંસ વિ. ૧ના પાના ૬૦ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે, તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના પાલખીના ચિત્રથી થાય છે. વર્ણન માટે જુઓ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૩પનું વર્ણન. આ પછી ચિત્રના અને સંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલા પ્રભુ મહાવીરે કરેલા અનગારપણા(સાધુપણા)ના રવીકારનો પ્રસંગ જેવા છે. વર્ણનને માટે જુઓ ચિત્ર ૩૬નું આ જ પ્રસંગને લગતું વર્ણન.
ચિત્ર ૨૩૨: પ્રભુ મહાવીરની દીક્ષા. પુરાતત્ત્વવિદ શ્રી જિનવિજયજીની સુવર્ણાક્ષરી સંવત ૧૫૧૧ની શ્રી મહાવીર ચરિત્રની હસ્તપ્રત ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના પ્રભુ મહાવીરે કરેલા સાધુપણાના સ્વીકારથી થાય છે. વર્ણન માટે જુઓ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૩૭નું વર્ણન. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલે પ્રભુ મહાવીરના સમવસરણને પ્રસંગ જેવા છે. વર્ણન માટે જુઓ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૧૬નું વર્ણન.
Plate LV ચિત્ર ૨૩૩ વર્ષીદાન તથા દીક્ષા મહોત્સવ. સહન. પાના ૩૬ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના વર્ષીદાનના ચિત્રથી થાય છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૩૪નું વર્ણન. પછી ચિત્રના અનુસંધાને, દીક્ષા મહત્સવને પ્રસંગ જેવાને છે. વર્ણન માટે જુઓ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૩૫નું વર્ણન.
ચિત્ર ૨૩૪ઃ પંચમૃષ્ટિ લોચ, સેહન. પાના ૩૬ ઉપરથી. વર્ણન માટે જુઓ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૩૬નું વર્ણન.
ચિત્ર ૨૩૫ઃ ગૌતમસ્વામી. સેહન, પાના ૭૮ ઉપરથી. ચિત્રની મધ્યમાં લાકડાની સુંદર નકશીકામવાળી પાટ ઉપર પધાસનની બેઠકે ગૌતમસ્વામી બેઠા છે. તેઓશ્રીની પાછળના ભાગમાં બંને બાજુએ અને મસ્તકના ઉપરના ભાગમાં લાકડાની નકશીકામવાળું પૂઠિયું છે.
"Aho Shrut Gyanam"