________________
પવિત્ર કલ્પસૂત્ર
૪૬
નવમા (૩૯) ભદ્રા અને (૪૦) ીતા નામની આઠ દિકુમારીએ પશ્ચિમ દિશાના ચક પર્વતથી આવી, પ્રભુને તથા પ્રભુની માતાને પવન નાખવા માટે હાથમાં વીંજણા લઈને ઊભી રહી. (૪૧) અમુસા (૪૨) મિનકેશી (૪૩) પુંડરીકા (૪૪) વાણી (૪૫) હાસા (૪૬) સર્વેમશા (૪૭) શ્રી અને (૪૮) હી નામની આઠ દિકુમારી ઉત્તર દિશાના રૂચક પર્વતથી આવી, ગાભર વીંઝવા લાગી.
(૪૯) ચિત્રા (૫૦) ચિત્રકૃતકા (૫૧) શહેરા અને (૫૨) વસુદામિની નામની ચાર દિગ્કુમારીકા: રૂચક પર્વતની વિદિશાઓમાંથી આવી, હાથમાં દીપક લઈ ઈશાન વગેરે વિદિશા
માં ઊભી રહી.
(૫૩) રૂપા (૫૪) રૂપાસિકા (૫૫) સુરૂષા અને (૫૬) રૂપકાવતી નામની ચાર દિગ્દમારી. એએ રૂચક દ્વીપથી આવીને ભગવતના નાળને ચાર અંગૂલથી છે. ખેતી, ખેડેલા ખાડામાં નાખી, ખાડા વૈસૂર્યનેથી પૂરી તેની ઉપર પીઠ બનાવ્યું, તથા તેને દૂર્વાથી બાંધીને તે જન્મઘરની પૂર્વ દિશા, ોક્ષણ દિશા અને ઉત્તર દિશામાં કેળનાં ત્રણ ઘર બનાવ્યાં. દક્ષિણ દિશાવાળા ઘરમાં પ્રભુને તથા માતાને સિંહાસન ઉપર બેસારી, બંનેને સુગંધી તેલનું મર્દન કર્યું.
ચિત્રમાં જુદીજુદી દિશા, વિદિશાઓની એકેક દિગ્ગુમારી રજુ કરી છે; કારણ કે આટલી જગ્યામાં ૫૬ દિકુમારી ચીતરી શકાય નહિ. ચિત્રમાં કેળના ત્રણ ધર તથા એ ર્રસહાસન પણ ચીતરેલાં છે, કલ્પસૂત્રની બીજી હસ્તપ્રતમાં આવી રીતને ચિત્રપ્રસંગ ચીતરેલા જોવામાં આવતા નથી.
ચિત્ર ૧૯૧: જમાભિષેક અને ઇંદ્રનું પંચરૂપે પ્રભુને લઇને મેરુ ઉપર જવું. ચિત્ર ૧૯૦ ના જ પાના ઉપરથી. આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ એ પ્રસંગે છે. તેમાં કાના પિ ચયની શરૂઆત નીચેના ઇંદ્ર પંચરૂપે પ્રભુને મે ઉપર લઈ જાય છે, તે પ્રસંગથી થાય છે. ઈંદ્રે પ્રભુને કરસપુરમાં લીધા અને પ્રભુની સેવાના તમામ લાભ લેવા માટે પેાતાનાં પાંચ રૂપ બનાવ્યાં, એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યાં, એ રૂપે બંને બાજુએ રહીને ચામર વીંઝવા લાગ્યા, એક રૂપે પ્રભુના માથે છત્ર ધારણ કર્યું અને એક રૂપે જા ધારણ કરીને આગળ ચાલવા લાગ્યા. પછી ચિત્રના અનુસંધાને, જન્માભિષેકના ઉપરના પ્રસંગ જોવાને છે. વર્ણન માટે નુ ચિત્ર ૨૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
ચિત્રની મધ્યમાં એ હાથમાં પ્રભુને પકડીને એક રૂપે ઇન્દ્ર વેગથી જતે દેખાય છે, બીજા રૂપે સૌથી આગળ લ ધારણ કર્યું છે, તેની પાછળ ત્રીજા રૂપે ચામર વીંઝતા અને ચેાથા રૂપે પ્રભુના મસ્તકે છત્ર ધારણ કરતે તથા પાંચમા રૂપે ચામર વીંઝતા દેખાય છે. ઇંદ્ર આકાશમાં ઉતાવળથી જતા હોવાથી ચામર ધરતાં બંને રૂપા તથા છત્રવાળું રૂપ આગળપાછળ થઈ ગયાં છે. ચિત્રનાં પાત્રો વેગવાન છે, જે ચિત્રકારના પીંછી ઉપરના અદ્ભુત કાબૂ દર્શાવે છે. સદ્ભાગ્યે આ ચિત્રાના ચિત્રકારનું નામ પશુ મલી આવ્યું છે. જુ ચિત્ર ૨૧૯નું વર્ણન.
Plate XLVI
ચિત્ર ૧૯: ચતુર્વિધ સંઘ, લીંબડીની પ્રતના પાના ૯૬ ઉપરથી. ચિત્રમાં સૌથી ઉપર
"Aho Shrut Gyanam"