SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર કલ્પસૂત્ર ૪૪ આષાઢ માસની અંધારી ચેાથ(ગુજરાતી જેઠ વદિ ૪)ને દિવસે, તેત્રીશ સાગરાપમની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાંથી ચ્યવીને, આ જંબૂદ્રીપને વિષે, ભરતક્ષેત્રમાં, ઈક્ષ્વાકુ ભૂમિમાં, નાભિ નામના કુલકરની મરુદેવા નામની સ્ત્રીની કુક્ષિને વિષે, મધ્યરાત્રિએ, દિવ્ય આહારના ત્યાગ કરીને ગર્ભપણે ઉત્પન્ન થયા. વન માટે નુ ચિત્ર ૧૨નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્ર ૧૮૭ઃ શ્રી સંઘ, પાટણ ૩ની પ્રતના પાના ૭૨ ઉપરથી. આ ચિત્રમાં ત્રણ હાર છે. સૌથી ઉપરની હારમાં ચાર પુરુષા-શ્રાવકા, મીજી હારમાં ચાર સાધ્વીએ અને ત્રીજી હારમાં ચાર સ્ત્રીઓ–શ્રાવિકાએ બંને હાથની અંજલિ જોડીને પ્રભુસ્તુતિ કરતાં દેખાય છે. આ ચિત્રનાં સ્ત્રી-પુરુષના પહેરવેશ આપણને પંદરમા સૈકાની શરૂઆતનાં વસ્ત્રપરિધાનના રિવાજના આબેહુબ ખ્યાલ આપે છે. Plate XLIV ચિત્ર ૧૮૮ઃ ચાર ગુરુભાઇએ. ડહેલા ૧ની પ્રતના પાના ૯૩ ઉપરથી. આ ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં ચિત્રના પરિચયની શરૂઆત ઉપરના આર્યસ્થલિભદ્ર અને કેશાના પ્રસંગથી થાય છે. ચિત્રમાં આર્યસ્થૂલિભદ્ર, કૈાશાની ચિત્રશાળામાં ગુરુની આજ્ઞા લઇને ચાતુર્માસાર્થે રહ્યા છે, તે વિષયની રજૂઆત માટે ચિત્રકારે આર્યસ્થૂલિભદ્રને લાકડાના સિંહાસન ઉપર બેસાડીને, સામે બેઠેલી સ્ત્રી–કાશાને પેાતાના ડાબે। હાથ ઊંચા કરીને જમણા હાથથી ધાર્મિક ઉપદેશ સમજાવતા બતાવ્યા છે. ચિત્રના અનુસંધાને, નીચેના ત્રણ ગુરુભાઇઓની તપસ્યાના પ્રસંગ જોવાનો છે. આર્ય સ્થૂલિભદ્ર જ્યારે ચાતુર્માસ કાશાને ત્યાં કરવા ગયા, ત્યારેતેમની સાથે તેના ત્રણ ગુરુભાઇ પણ અનુક્રમે કુવાના ભારવટ ઉપર, સિંહની ગુફાના દ્વાર ઉપર અને સર્પના રાફડા ઉપર ચાતુર્મોસ કરવા ગયા હતા, તે પ્રસંગ ચિત્રકારે અત્રે અનુક્રમે કુવા, સિંહની આકૃતિ તથા સર્પનું મુખ કાયાત્સર્ગ મુદ્રાએ ઊભેલા એકએક સાધુ પાસે ચીતરીને, અત્રે રજૂ કરેલ છે. ચિત્ર ૧૮૯: આર્યવસ્વામી, ડહેલા ૧ની પ્રતના પાના ૯૯ ઉપરથી. આર્યધનગિરિ પેાતાની પૂર્વાવસ્થામાં-સંસારીપણામાં તેમની શ્રી સુનંદા સાથે તુંબવન નામના ગામમાં રહેતા હતા. સુનંદાને ગર્ભવતી અવસ્થામાં ત્યજી દઇને ધગિરિએ દીક્ષા લીધી હતી. પછીથી સુનંદાએ એક પુત્રને જન્મ આપ્યા. તે પુત્રે જન્મતાંની સાથે જ એવું સાંભળ્યું, કે પેાતાના પિતાએ જૈન સાધુની દીક્ષા લીધેલી છે. આ સાંભળતાં જ તેને જાતિસ્મરણ–જ્ઞાન થયું. માતાને પોતાની ઉપર જરા ય માહુ ન થાય એટલા માટે તે હમેશાં રડીરડીને માતાને કંટાળેા આપવા લાગ્યા; તેથી તેની માતાએ તે છ માસના થયા, ત્યારે જ તેના પિતા-આર્યધનગિરને વહેારાવી દીધા. તેમણે ગુરુના હાથમાં સોંપ્યા. ગુરુએ બાળકમાં બહુ ભાર હેાવાને લીધે તેનું વજા નામ પાડ્યું. તે પારણામાં રહ્યોરહ્યો અગિયાર અંગ ભણ્યા. પછી તે બાળક વા ત્રણ વરસના થયા, ત્યારે તેના કમો લેવા માટે સુનંદાએ રાજાની પાસે ફરિયાદ કરી. રાજાએ બાળકને રાજસભામાં ખેલાવીને, આર્યધનગિરિ તથા સુનંદાને કહ્યું, કે તમે બંને જણા બાળકને સમજાવા અને બાળક પેાતાની રાજીખુશીથી જેની પાસે જાય તેને "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy