SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૪૧ (૯) જલપૂર્ણ કુંભ. નવમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પાણીથી ભરેલ કુંભ જોયો. તે કુંભ (કલશ) અતિ ઉત્તમ પ્રકારના સુવર્ણ સમ અતિ નિર્મળ અને દીપ્તિમાન હતો.એમાં સંપૂર્ણ જલ ભરેલું હોવાથી તે કલ્યાણને સૂચવતે હતો. પૂર્ણ કુંભ મંગલને ઘાતક છે. (૧૦) પદ્મસરેવર. દશમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પદ્મસરોવર જોયું. આખું સરવર જુદી જુદી જાતનાં વિવિધરંગી કમલેથી તથા જલચર પ્રાણીઓથી સંપૂર્ણ ભરેલું હતું. આવું રમણીય પદ્યસરવર દશમા સ્વપ્નમાં જોયું. સરોવર નિર્મળતાનું દ્યોતક છે. (૧૧) ક્ષીરસમુદ્ર. અગિયારમાં સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ ક્ષીરસમુદ્ર જોયો. એ સમુદ્રને મધ્ય ભાગની ઉજવલતા ચન્દ્રનાં કિરણ સાથે સરખાવી શકાય. ચારે દિશામાં તેને અગાધ જલપ્રવાહ વિસ્તરી રહ્યો હતો. (૧૨) દેવવિમાન. બારમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ દેવવિમાન જોયું, જેને ૧૦૦૮ થાંભલા હતા. તેમાં દિવ્ય પુષ્પની માળાઓ લટકતી હતી. તેની ઉપર વરુ, વૃષભ, ઘોડા, મનુષ્ય, પંખી, હાથી, અશોકલતા, પદ્મલતા વગેરેનાં મનહર ચિત્રો આલેખેલાં હતાં. તેની અંદરથી મધુર સ્વરે ગવાતાં ગાયન અને વાજિંત્રોના નાદથી વાતાવરણમાં સર્વત્ર સંપૂર્ણતા પથરાઈ જતી હતી. વળી તે વિમાનમાંથી કાલાગુરુ, ઊંચી જાતના કિં દશાંગાદિ ઉત્તમ સુગંધી દ્રવ્યની ઉત્તમ મહેક નીકળતી હતી. આવું ઉત્તમ વિમાન તેમણે જોયું. (૧૩) રત્નરાશિ. તેરમા રવપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ રત્નનો ઢગલે . તેમાં પુલકરત્ન, વજરત્ન, ઈન્દ્રનીલરત્ન, ફટિક વગેરે રત્નને ઢગલો જોયો. તે ઢગલે પૃથ્વીતળ પર હેવા છતાં કાંતિ વડે ગગનમંડલ સુધી દીપી રહ્યો હતે. (૧૪) નિર્ધમ અગ્નિ. ચૌદમા સ્વપ્નમાંત્રિશલા ક્ષત્રિયાણીએ ધુમાડા વગરનો અગ્નિ જોયો. એ અગ્નિમાં સ્વચ્છ ઘી અને પીળું મધ સીંચાતું હોવાથી તે ધુમાડા વગરને હતો. તેની જ્વાળાઓ પૃથ્વી ઉપર રહી રહી જાણે કે આકાશના કેઈએક પ્રદેશને પકડવા પ્રયત્ન કરી રહી હોય તેવી ચંચલ લાગતી હતી. ચિત્ર ૧૨૩ઃ સિદ્ધાર્થ અને ત્રિશલા. પાટણ ૩ની પ્રતના પાના ૧૮ ઉપરથી. સ્વપ્નદર્શનથી વિસ્મય પામેલી, સંતુષ્ટ થએલી, હર્ષોલ્લાસવાળી ત્રિશલા ક્ષત્રિયાણી સ્વપ્નનું મરણ કરવા લાગી. ત્યારપછી તે ઉઠી અને પાદપીઠથી નીચે ઉતરી, કોઈપણ જાતની માનસિક વ્યગ્રતા વિના, રાજહંસની ગતિથી તે સિદ્ધાર્થ ક્ષત્રિયની શમ્યા પાસે આવી. આવીને પોતાની વિશિષ્ટ ગુણવાળી વાણી વડે સિદ્ધાર્થને જગાડયા. ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિયની આજ્ઞાથી ત્રિશલા ક્ષત્રિયાણી રત્નમણિથી શોભતા સિંહાસન ઉપર બેઠાં. પિતાના શ્રમ અને ભેંભને દૂર કરી, પિતાની સ્વાભાવિક મધુર, કમળ, લલિત અને ભાવભરી વાણી વડે કહ્યું કે, “હે સ્વામી ! હું આજે મહાપુણ્યશાળી અને ભાગ્યશાળીને શપ્યામાં કંઈક જાગતી અને કંઈક ઊંઘતી હતી, તેવી સ્થિતિમાં ચૌદ મહાસ્વપ્ન દેખી જાગી ઊઠી.” ચિત્રમાં સિદ્ધાર્થ સિંહાસન ઉપર બેઠેલા છે અને તેમની સામે ત્રિશલા ક્ષત્રિયાણી બેસીને પિતાને આવેલાં સ્વનોનું વૃત્તાંત કહેતાં દેખાય છે. સિદ્ધાર્થની પાછળ એક સ્ત્રી-પરિચારિકા પણ . "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy