________________
ચિત્રવિવરણ
૩૭
ચિત્ર ૧૦૯ઃ ચતુર્વિધ સંઘ. જીરાની પ્રતના પાના ૧૧૦ની બીજી બાજુ પરથી, વર્ણન માટે જીએ ચિત્ર ૧૦૬નું આ પ્રસંગને લગભગ મળતા ચિત્રનું વર્ણન.
ચિત્ર ૧૧૦: શક્રસ્તવ, જયસૂ॰ ની વિ. સં. ૧૪૮૯ની પ્રતના પાના ૬૯ની ૨૧ ચિત્રોવાળી પ્રતમાંથી. આ ચિત્રના વર્ણન માટે જીએ ચિત્ર ૨૮નું વર્ણન, આ ચિત્ર મધ્યેનું સિંહાસન બહુ જ સુંદર રીતે લાકડામાં કારી કાઢેલું હાય એમ લાગે છે. પંદરમા સૈકામાં જૈનાચાર્યો સુંદર કોતરકામવાળા સિંહાસન ઉપર બેસીને ઉપદેશ આપતા હતા, તેના પુરાવા રૂપેજ આવી જાતના સિંહાસનની ચિત્રમાં રજૂઆત કરવામાં આવેલી છે; કારણ કે પ્રાચીન પ્રતામાં જ્યાંજ્યાં ગુરુ મહારાજનાં ચિત્ર જોવામાં આવે છે, ત્યાંત્યાં દરેક પ્રસંગમાં સિંહાસન ઉપર જતે બેઠેલા હેાય છે. ઇંદ્રના મસ્તક ઉપરનું છત્ર સુંદર કે।તરકામવાળું છે; તેના પગ નીચે તેના વાહન હાથીનું ચિત્ર પણ ચીતરેલું છે. ચિત્ર ૧૧૧: વર્ષીદાન, જયસૂ॰ની ઉપરોક્ત પ્રત ઉપરથી જ આ ચિત્ર પણ રજૂ કરવામાં આવેલું છે. વન માટે જુએ ચિત્ર ૩૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
Plate XXIX
ચિત્ર૧૧૨ઃ મહાવીરનું સમવસરણુ. જીરાની પ્રતના અંતિમ પત્ર ઉપરથી. વન માટે જુઓ ચિત્ર ૧૬નું આ પ્રસંગને લગતું જ વન.
ચિત્ર ૧૧૩: ચતુર્વિધ સંઘ. ચિત્રમાં ઉપરના પ્રસંગમાં સિંહાસન ઉપર બેઠેલા ગુરુ મહારાજ, સામે બેઠેલા શિષ્યરૂપી સાધુ, મધ્ય પ્રસંગમાં બે હાથ જોડીને બેઠેલા ચાર ગૃહસ્થ શ્રાવકા તથા નીચેના પ્રસંગમાં બે સાધ્વીએ અને એ શ્રાવિકારૂપી ચતુર્વિધ સંઘને ધર્મો
પદેશ આપી રહ્યા છે.
લખાણુની ત્રીજી લીટીમાં આ પ્રત સંવત ૧૪૭૩ના, ચેાથી લીટી અને પાંચમી લીટીમાં પોષ સુદિ પૂર્ણિમા ને રવિવારના દિવસે શ્રી ખરતર ગચ્છ સંઘને માટે અણહિલપુર પત્તનમાં, છઠ્ઠી લીટીમાં શ્રી કલ્પ પુસ્તક (લખ્યું), એમ લખેલું છે. અર્થાત્ આ કલ્પસૂત્ર (ગુજરાતની પ્રાચીન રાજધાની) શ્રી અણહિલપુર પાટણમાં શ્રી ખરતર ગચ્છ સંધના માટે સંવત ૧૪૭૩ના પાષ સુદિ પૂર્ણિમા ને રવિવારના દિવસે લખ્યું.
Plate XXX
ચિત્ર ૧૧૪: શક્રાજ્ઞા. પાટણ ૩ની પ્રતના પાના ૮ ઉપરથી. વર્ણન માટે જુગ્મા ચિત્ર રત્નું આ પ્રસંગને લગતું જ વર્ણન, ચિત્રમાં સુવર્ણના સિંહાસન ઉપર ચાર હાથવાળા શક્રેન્દ્ર બેઠેલા છે. શક્રેન્દ્રના ચાર હાથેા પૈકી ઉપરના જમણા હાથમાં અંકુશ અને ડાબા હાથમાં પાશ છે તથા નીચેના જમણા હાથમાં તલવાર અને ડાબા હાથમાં કુલ છે. ઇન્દ્રના મસ્તકના ઉપરના ભાગમાં સુંદર છત્ર લટકે છે. વળી ઇન્દ્રના મસ્તકના પાછળના ભાગમાં રત્નજડિત સુવર્ણનું સુંદર ડિઝાઇનોવાળું ભામંડલ છે. ઇન્દ્ર આખા શરીરે વસ્ત્રાભૂષણાથી સુસજ્જિત થઈને બેઠેલા છે. ઈન્દ્રના ઉત્તરાસંગના બે છેડા પવનમાં ઊડતા દેખાય છે અને કમ્મર નીચેના વાદળી રંગના રેશમી ઉત્તરીય વર્ષમાં હુંસપક્ષીની સુંદર ડિઝાઈન ચીતરેલી છે. વળી સિંહાસનના ચારે પાયાની નીચે એકેક સિંહની આકૃતિ ચીતરેલી છે. ઇન્દ્રની સામે બે હાથ જોડીને ઇન્દ્રની આજ્ઞાનું શ્રવણ
"Aho Shrut Gyanam"