________________
-
૫
| કિંચિત્ વક્તવ્ય શ્રી હૈમ સંસ્કૃત પ્રવેશિકાના ત્રણ ભાગના સમગ્ર નિયમોનો સમાવેશ આ પુસ્તકમાં એક સામટો કરવામાં આવેલો છે અને નિયમોની સાથે સાથે સિદ્ધ હૈમના સૂત્રો પણ મૂકવામાં આવ્યાં છે. - આ ત્રણે ભાગના નિયમો તે તે પ્રક્રિયાના અનુક્રમે છે અને નિયમો સૂત્રોના અનુવાદરૂપે છે વળી સાથે સૂત્રો પણ છે અને તે સિદ્ધહેમનો સારાંશ છે એટલે આ પુસ્તકનું નામ સિદ્ધ હેમ સારાંશ-સંસ્કૃતવ્યાકરણ અનુવાદ પ્રક્રિયા” અથવા સૂટસહિત નિયમાવલિ રાખ્યું છે.
ત્રણે ભાગને ભણેલા કે બીજા કોઈ પણ સંસ્કૃતના અભ્યાસીઓ આ પુસ્તકના અભ્યાસથી સંસ્કૃત ભાષાનો સારો બોધ અને સિદ્ધ હેમનો સારાંશ મેળવી શકશે – વળી સૂત્રો સાથે સિદ્ધ હેમના સૂત્રાંક ટાંકેલા છે તે ઉપરથી સિદ્ધહેમનું પણ અવલોકન કરી શકશે અને વ્યાકરણ વિષયક તથા ભાષાવિષયક વિશાલ સુબોધ પ્રાપ્ત કરી શકશે એ હેતુથી આ પુસ્તકની રચના કરવામાં આવી છે.
- પંડિત શિવલાલ નેમચંદ શાહ