________________
પ્રકાશકિય
બીજી આવૃત્તિ પ્રસંગે
પંડિત શિવલાલભાઈએ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યભગવંત ના વ્યાકરણનો સાર – અર્ક કાઢીને આ ગ્રંથ સં.૨૦૪૦ માં પ્રકાશિત કરેલ.
-
તેઓની વિદાય થતા પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી ગણિવર્યશ્રીને પંડિતજીના સુપુત્ર શ્રી દિનેશભાઈએ પિતાશ્રીના ઉપયોગી ગ્રંથરત્નોને પ્રકાશિત કરીને અભ્યાસુ વર્ગને સહાયક બનવા જણાવતાં. પૂજ્યશ્રીએ જવાબદારી ઉપાડી અને શ્રીસંઘો - ભાવિકોના આર્થિક સહકારથી હૈમ સંસ્કૃત પ્રવેશિકાનું પ્રથમા, દ્વિતીયાનું પુનઃ પ્રકાશન થયું. હવે આ પુસ્તકની આવૃત્તિ પણ પુનઃ પ્રકાશિત થઈ રહી છે. તેમાં અમો નિમિત્ત બનતાં આનંદની અનુભુતી અનુભવીએ છીએ.
પ્રાન્તે અભ્યાસુ પૂજ્યો આ ગ્રંથનો ઉપયોગ કરી પરમપદના પથિક બને એજ
- ભદ્રંકર પ્રકાશન