________________
सत्त्वोपनिषद् - गुणस्तुतिः सा प्रभावनेति समयविदः । विरुद्धं तु स्फुटमेव मालिन्यम् । केवलं दुराग्रहविमुक्तमध्यस्थप्रशान्तचित्तैकवेद्यम, दुराग्रहस्य तत्त्वप्रतिपत्तिविघ्नत्वात्।
उद्भटरूपनेपथ्ययुवतिजनसङ्कीर्णाध्वनीर्यासमितजिताक्षानगारगमनं पश्यतामपूर्वसभावापादकं प्रभावना, लक्षणसमन्वयात् । इत्थमेव रसत्यागप्रधानभिक्षादावपि ज्ञेयम् । प्रभावनेति लोकसम्यक्त्वहेतुः स्वस्य तत्क्षायिकताबीजम्, ततश्च क्षीणसङ्क्लेशता प्रशमादिविभतिः सर्वसौख्यवशीकार परमपदावाप्तिश्च । मालिन्यं तु परमिथ्यात्वहेतुः स्वस्य | મહોપાધ્યાયજી કહે છે ‘જિનશાસન ગુણ વર્ણના, જેહથી બહુ જન હુંત, કીજે તેહ પ્રભાવના, પાંચમુ ભૂષણ ખંત.'
જેનાથી લોકોમાં જિનશાસનની પ્રશંસા થાય તેનું નામ શાસનપ્રભાવના... હવે આ પ્રભાવના છે કે શાસનમાલિત્ય એ તો જ્યારે મધ્યસ્થ દૃષ્ટિએ તેના પરિણામો વિચારીએ તો જ ખબર પડે.
મને કહેવાનું મન થાય છે કે જુવાન અઓ ભર બજારે ઉશ્કટ વેશે જતી હોય અને મેલાં કપડાંવાળા સાઘુ ઉઘાડા પગે નીયા મોટે ઈસમિતિનું પાલન કરતાં કરતાં પસાર થઈ જાય, આખું બજાર ચકિત થઈ જાય આનું નામ શાસનપ્રભાવના.
મિઠાઈ, ફરસાણ, કૂટ, મેવો વગેરે ૫૦ આઈટમો પડી હોય. ૨૫ જણ અત્યંત આગ્રહભરી વિનંતિ કરતાં હોય અને મહાત્મા તેના પર દષ્ટિ પણ કર્યા વિના - ‘કોઈ વાપરનાર નથી.’ એમ કહીને સાવ સાદી ગોચરી વહોરીને નીકળી જાય, બધાનાં હૃદયનો સદ્ભાવ નિસીમ બની જાય, એનું નામ શાસન પ્રભાવના. શાસન પ્રભાવના એટલે લોકોના સમ્યક્તનું અને પોતાના ક્ષાયિક સમ્યત્ત્વનું કારણ. જેનાથી સંકલેશોનો ક્ષય થાય, પ્રશમ વગેરે સમૃદ્ધિ મળે, સર્વ સુખો સ્વાધીન થાય અને પરમપદની પ્રાપ્તિ થાય. શાસનમાલિત્ય તો
ક૬ -
-सत्त्वोपनिषद् तदुग्रबन्धनिबन्धनम्, ततश्च विपाकदारुणा सर्वानर्थप्रदा संसारवृद्धिः । लक्षणविरोधे लक्ष्यबुद्धिरिति मोहविकारः । ततश्च स्वपरवञ्चना ।
धनपदमूकतेत्यनगारगौरवम् । स्वाचारविरुद्धोच्चारः खलु परं स्वलाघवापादनम्, नैष्ठिकोक्तसुरतवत् । सुनिर्वाहेऽयमपि लोभः, समायश्चेति विशेषः। आजीविकादिविविधार्तिभृशानिशार्त्तकृच्छ्रसृष्टधर्ममुग्धोपासकेभ्योऽपि स्वेष्टजिघृक्षेति दुरन्तनिरयनिवाससफलयत्नः।। બીજાને મિથ્યાત્વ પમાડવાનું નિમિત્ત છે. પોતાનો આત્મા પણ તેનાથી ગાઢ અને દુરંત મિથ્યાત્વ પામે છે. જેના પરિણામે ભયંકર અને સર્વ અનર્થોને આપનારી એવી સંસારવૃદ્ધિ થાય છે એવું શ્રીહરિભદ્રસૂરિજીએ અષ્ટક પ્રકરણમાં જણાવ્યું છે. આમ જ્યાં શાસનપ્રભાવનાથી વિરુદ્ધ લક્ષણ છે, એમાં શાસનપ્રભાવના માનવી એ અજ્ઞાનનું પરિણામ છે. છેવટે તો એ પ્રવૃત્તિથી સ્વ-પરની છેતરામણી જ થાય છે.
શ્રમણનું ગૌરવ એમાં જ છે કે એ પૈસાનું નામ જ ન લે. પોતાના આચારથી વિરુદ્ધ બોલવું એ પોતાની અત્યંત લઘુતા કરવા બરાબર છે. જેમ કે નૈષ્ઠિક બ્રહ્મચારી (જૈનેતર દર્શન પ્રમાણે આજીવન બ્રહમચર્યપાલક) કામભોગ વિષે કહે તો એ જેમ બેહુદુ લાગે, તેના જેવી આ બેહુદી વાત છે. જ્યારે શાંતિ-સમાધિથી આરાધના કરવી સરળ છે, નિર્વાહ થાય છે, ત્યારે આ પણ એક જાતનો લોભ છે. ઉપરથી ધર્મના નામે એ લોભ પોષવો એ માયા પણ છે. આજીવિકા આદિના સેંકડો ટેન્શનોમાં સપડાયેલા ગૃહસ્થો ઘણા કષ્ટથી ધર્મમાં વિનિયોગ કરે છે. એવા મુગ્ધ ભક્તો પાસેથી ય પોતાનું મનગમતું મેળવી લેવાની ઈચ્છા એ તો ભયાનક નરકનું રિઝર્વેશન છે એવું અધ્યાત્મ કલ્પદ્રુમમાં કહ્યું છે.
કેવી સંઘની ઉમદા ભાવના.. તમે સંસારના ત્યાગી છો. સંયમના સાધક છો. આપ માત્ર સાધના કરો, બીજી કોઈ ચિંતા કરવાની