SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ नानाचित्तप्रकरणम् १७ लोकः - जनसमुदायः, अस्तीति गम्यते । तदेतस्मिन् लोके यद्भवति તવાદ धम्मो धम्मु त्ति जगम्मि घोसंए बहुविहेहिं रूवेहिं । सो भे परिक्खियव्वो कणगं वे तिहिं परिक्खाहिं ॥४॥ નાતિ - अनन्तरोक्तलोकाधारभूते भुवने, बहुविधै रूपैः - त्रिषष्ट्युत्तरशतत्रयसङ्ख्यैः पाषण्डिभिः, धर्मो धर्म इति घोष्यते - अस्माकमेव धर्मः समीचीन इति मुक्तकण्ठमभिधीयते । सः - વગેરેમાં સમ્યક્ત્વયતનાનું પ્રતિપાદન કર્યું છે, તેનું ચિંતન કરવું જોઈએ. આ રીતે વિશેષણોને કહીને જે આવો છે તે વિશેષ્યને કહે છે - લોક = જનસમુદાય. ‘છે’ એવું અધ્યાહારથી જણાય છે. આવા લોકમાં જે થાય છે. તે કહે છે – ઘણા રૂપો વડે જગતમાં ધર્મ-ધર્મ એવી ઘોષણા કરાય છે. તે ધર્મ તમારે સુવર્ણની જેમ ત્રણ પરીક્ષાથી તપાસવો જોઈએ.(૪) હમણાં જેમનું સ્વરૂપ કહ્યું તે લોકોના આધારભૂત જગતમાં ૩૬૩ પાખંડીઓ છે. તેઓ ધર્મ-ધર્મ એવી ઘોષણા કરે છે. અમારો જ ધર્મ સાચો છે, એવી રાડો પાડે છે. તે લોકોએ ‘આ જ પરમસત્ય છે’ એ રીતે પ્રતિજ્ઞાત કરેલ ધર્મ પણ તમારે તપાસવો જોઈએ. એટલે કે સાચો ધર્મ તે કહેવાય કે જે દુર્ગતિમાં પડતાં જીવોનું રક્ષણ કરે છે. એવો ધર્મ આ છે કે નહીં એવી સૂક્ષ્મ વિચારણા તેના વિષયમાં કરવી જોઈએ. તે કેવી રીતે ? તે કહે છે- કપ વગેરે ત્રણ સૂક્ષ્મ વિચારણારૂપ પરીક્ષાથી ધર્મને તપાસવો જોઈએ. કોની જેમ ? તે કહે છે – સુવર્ણની જેમ. આશય એ છે કે જેમ સુવર્ણને કષ-છેદ-તાપરૂપ ત્રણ પરીક્ષાથી તપાસાય છે. તેમ ધર્મની પણ ચકાસણી કરવી જોઈએ. ૨. ૧.વ. થોસિા ૨. ન.જી. પિવ તિ॥ રૂ. ૧ - ૦Íદા अहिंसोपनिषद् १८ परैः समीचीनतया प्रतिज्ञातोऽपि धर्मः, युष्माभिः परीक्षितव्य:दुर्गतिप्रपतज्जन्तुधारणात्मकस्वान्वर्थसम्पन्नोऽयं न वेति निपुणालोचनाविषयीकार्यः, कथमित्याह - तिसृभिः कषादिभिः, परीक्षाभिः - उक्तनिपुणालोचनाभिः, किंवदित्याह - कनकमिव सुवर्णमिव । एतदुक्तं भवति- यथा सुवर्णं कष-छेद - तापलक्षणाभिस्तिसृभिः परीक्षाभिः परीक्ष्यत एवं धर्मपरीक्षाऽपि कर्तव्या । केऽत्र कषादय इति चेत्, अत्राहुराचार्याः -વિધિપ્રતિષધી : તત્સમ્ભવપાતનાचेष्टोक्तिश्छेदः । उभयनिबन्धनभाववादस्तापः (धर्मबिन्दौ २ / ९३ - પૂર્વપક્ષ :- કષ-છેદ-તાપ સુવર્ણમાં તો ખબર છે. કસોટી પથ્થર પર ઘસીને પરીક્ષા થાય તે કષ, કાપો મૂકીને તપાસીએ તે છેદ અને તપાવીને ચકાસણી થાય તે તાપ, પણ ધર્મપરીક્ષામાં કષ-છેદ-તાપ એટલે શું ? ઉત્તરપક્ષ :- આ પ્રશ્નનો ઉત્તર પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ ધર્મબિંદુમાં આપ્યો છે – વિધિ-પ્રતિષેધો કષ છે. જે ધર્મમાં ઘણા વિધાનો અને નિષેધો કરાયા હોય તે ધર્મ કષપરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. જે ધર્મમાં પ્રતિપાદિત વિધાનો અને નિષેધોનું પાલન સંભવિત હોય અને તેના પાલનને અનુરૂપ આચારસંહિતા કહી હોય તે ધર્મ છેદ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. અને જ્યાં વિધિ-પ્રતિષેધ બંનેના પાલનના કારણભૂત સ્યાદ્વાદનું પ્રતિપાદન હોય, પરિણામવાદ કહ્યો હોય તે ધર્મ તાપ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. આ વિષયમાં અનેક શાસ્ત્રોમાં વિસ્તાર છે. પૂર્વપક્ષ :- આજે જીવો સંક્ષિપ્તની રુચિ વાળા છે. તેઓ વિધિ વગેરેનો વિસ્તાર જોવામાં આળસુ છે, તેથી તેઓ આ રીતે તો
SR No.009614
Book TitleNana Chitta Prakarana
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages69
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size491 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy