SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા છનું ફળ શુભ અથવા અશુભ થઈ શકે છે. જ્યારે પાછલા ત્રણનું જલદીથી ફળ મળે છે. મિથુન કરવાના કારણે, કેઈની સાથે હાસ્યવિનોદ કર્યો હોય તે કારણથી, શાકથી, કે પછી ભય, મળમૂત્રને ધ, વાએલી વસ્તુની ચિંતા ઈત્યાદિ કારણોને લઈ આવેલું સ્વપ્ર વૃથા થાય છે.. જેઓની કફ પ્રકૃતિ હોય છે, તેઓને પ્રકૃતિ વધવાથી કે વિકાર થવાથી સ્વસ આવે ત્યારે તેઓ સ્વમમાં મોટાં મોટાં જલારાય, પાણીથી છલકાઈ જતી નદીઓ, કમળો, સાવરે, ફટિકના મહેલ, ધોળી ગુફાઓ, તારા, ચંદ્ર, મેઘ (વાદળાં) મીઠા રસ (દૂધ, મધ, શેરડી ઈત્યાદિ) ઉમદા પ્રકારનાં ફળ, ઘી, યજ્ઞનાં સાધને, યજ્ઞમંડપ, શંગાર કરેલી મોટા મોટા સ્તન અને વિશાળ આંખે, વિશાળ નિતંબપ્રદેશ તથા સૂકમકટિવાળી વસ્ત્રથી અને તમાળાઓથી શોભતી સ્ત્રીઓ જુએ છે. જે પિત્તપ્રકૃતિને હોય છે, તે સળગતા અશ્ચિને જુએ છે. ચમકતી વિજળીનાં તેજ, પીળી જમીન, ધારવાળાં શસ્ત્ર, સળગતી દિશાઓ, નીલેલાં અશેક વૃક્ષો તથા શુદ્ધ ગંગાજળ, ખુબ ફોધ, તથા પોતાને મારફાડ કરતા ઈત્યાદિ જુએ છે. અને ઘણું પાણી પીતા જુએ છે. જે વાત પ્રકૃતિવાળા હોય છે, તે ઉંચા પ્રદેશમાં ચઢે છે. વિવિધ પ્રકારનાં ઉંચા ઉંચાં અને પવનથી હાલમાં વૃક્ષ, દેડતા ઘોડા, અને ઉડતાં પક્ષીની સવારી ઉંચા મહેલ, ઝઘડા, કલેશ વગેરે જુએ છે. પિતે સવારી કરે છે, ચા ઉડે છે. આવા પ્રકારથી સ્વ પ્રકૃતિના વિકારથી આવે છે. અને તે ઘણે ભાગે વૃથા હતય છે. દેવતાઓ અને ગુરુજનોની સ્મૃતિ (કમરણ) હુકમોને નાશ કરનાર છે. તેથી રાત્રે સુતી વખતે વિષ્ણુ, કૃષ્ણ, રામાપતિ, માધવ ઈત્યાદિ ભગવાનનાં નામનું સ્મરણ કરવું. અથવા અગસ્તિ, મુચુકુંદ, કપિલ અને આસ્તિક નામના (જનમેજયના સર્ષ યજ્ઞને રેકનાર) મુનિનું મરણ કરવું. તેમજ સ્વસ્થ થઈ શાંતિપૂર્વક ઉંઘી જવું, જેથી ખરાબ સ્વો નહિ આવે.
SR No.009533
Book TitleJain Samudrik Panch Granth
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherSarabhai Manilal Nawab
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Devnagari & Jyotish
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy