SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ અને પવિત્ર હોય છે, તેમની વાણી નિષ્ફળ જતી નથી. માટે સફળ આદેશ કરવાની ઈચ્છાવાળા નિમિત્તિકે ઈષ્ટ દેવતાની કૃપા મેળવવા વિશેષ લક્ષ્ય આપવું જોઇએ. ત્રીજા પ્રકરણમાં કેટલાક પારિભાષિક શબ્દને સંગ્રહ છે. ત્યારબાદ ચોથા પ્રકરણમાં હાથ જોવાની વિધિ બતાવી છે. આમાં નિમિત્તિક કે હોવો જોઈએ, તેમજ પૃછક કેવો હોવો જોઈએ તે સંબંધી શરૂઆતમાં જ કહેવામાં આવ્યું છે. નિમિત્તશાસ્ત્ર કુદરતની રચનાનું સ્પષ્ટિકરણ કરવાની વિદ્યા છે, અને તે એવી રચના કે જે ભાવિના ગર્ભમાં યા તો ભૂતકાળના પેટાળમાં સંતાઈ રહી હોય. આવા મન-બુદ્ધિ અને ચક્ષુથી પર રહેલા પદાર્થોનું નિરૂપણ કરવા દૈવી શક્તિ જોઈએ. તથા તેમાં એકદમ કુદરતના સદસ્યને પામવું જોઈએ. આથી છલને સ્થાન મળી શકતું નથી છલ કરવાથી આદેશ નિષ્ફળ જાય છે. એક પ્રાચીન સુભાષિત છે કે – मंत्र तीर्थे द्विजे दैचे दैवज्ञे भिषजौषधे। याशी भावना यस्य सिद्धिर्भवति ताशी વૈદ્ય અને દેવજ્ઞમાં જેવી જેની શ્રદ્ધા હોય છે, તેવી સિદ્ધિ થાય છે. ગ્રંથકાર કહે છે કે – जितेन्द्रियस्य श्रद्धालोयत्फलं कथ्यते बुधैः। स्वमवज्जायते सत्यं तत्सर्वं नान्यथा पुनः ।। અર્થાત– જિતેન્દ્રિય અને શ્રદ્ધાળુને જે ફળ પંડિતો કહે છે, તે સ્વમની માફક સત્ય નિવડે છે. શ્રદ્ધા રહિત અન્યથા થાય છે. નિષ્ફળ જાય છે. માટે શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રજ્ઞ પુરુષને જ ભાવિ જાણવા પૂછવું. એ ગ્રંથકારને તેમજ દરેક તિકશાસ્ત્ર પ્રવર્તક આચાર્યોને મત છે. આજકાલની માફક ખાલી વિનેદ કરવા કે દૈવજ્ઞની પરીક્ષા કરવા પ્રશ્ન કરવા નહિ. દેવજ્ઞની પરીક્ષા કરવા માટે પ્રશ્ન પૂછવાને રીવાજ બાદશાહી જમાનામાં લખાએલા ગ્રંથમાંથી જડી આવે છે. તાજિક ગ્રંથકાએ પ્રશ્નકર્તા સરલ ભાવથી પ્રશ્ન કરે છે કે દેવજ્ઞની પરીક્ષા કરવા પ્રશ્ન કરે છે, તેને તેડી લાવવાની અમુક વિધિઓ યોજી છે. દૈવજ્ઞ તે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણે કાળીને જ્ઞાતા, સર્વજ્ઞ, તેણે દરેક ચીજનું જ્ઞાન ધરાવવું જોઈએ. આ દરેક પ્રશ્નનો ઉત્તર આપવો જોઈએ. તેવી માન્યતા સામાન્ય રીતે જોવામાં આવે છે. લેકે પિતાની ઉપરોક્ત માન્યતાથી જેમ મનમાં આવ્યું તેમ પ્રશ્ન કરી, અને જોતિષી સર્વજ્ઞ હવાને ડેળ કરી દરેકને ઉત્તર આપે.
SR No.009533
Book TitleJain Samudrik Panch Granth
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherSarabhai Manilal Nawab
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Devnagari & Jyotish
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy