SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ સારુતિકશાસ્ત્ર દ્રવ્ય હેવામાં સંશય ઉત્પન્ન કરે છે. (ધનને નાશ કરે છે) રંગહીન રેખા (બેડે લાગતી હોય તેવી રેખા) કદન્ન કરનાર (તેલ, ઘી વગરનું, ટાઢ, ઉતરી ગએલું, હલકા ધાન્યમાંથી બનાવેલું ભોજન કદન્ન કહેવાય છે) અને વિષમ રેખાઓ દ્રવ્યને વિનાશ કરનારી છે. મધ્યમાના ઉપલા પર્વની રેખા કરતાં જે પ્રદેશિની લાંબી હોય તો તેને પિતાને પક્ષ (પિતાનું કુટુંબો ઘણે મોટે હોય છે. અને પિતાની મિલકત પણ ઘણું હોય છે. જે તે પર્વની ઉપલી રેખા કરતાં પ્રદેશિની ટૂંકી હોય તો ઉપરોક્ત ફલ ઉલટું હોય છે. અર્થાત્ પિતાનું કુટુંબ તથા લક્ષમી બહુ થોડાં હોય છે. અનામિકાના ઉપલા પર્વની રેખા કરતાં જે કનિષ્ઠિકા મેટી હોય તે તે મનુષ્યને ધનની વૃદ્ધિ કરનાર છે. તેમજ તેના સાળનું કુટુંબ મેટું હોય છે. ઉર્ધ્વરેખા મણિબંધથી નીકળી ઉર્ધ્વ દિશામાં જાય છે. આ રેખા પાંચ પ્રકારની હોય છે. આ રેખા જે અંગુઠા ભણી જનારી હોય તે સુખ, રાજ્ય તથા લાભ આપનારી થાય છે. જે આ સ્મા તર્જની ભણી જતી હોય તે રાજા અથવા રાજ જે થાય. મધ્યમાં ભણું ગઈ હોય તે આચાર્ય, અથવા પ્રખ્યાત પુરુષ થાય અથવા રાજા કે સેનાપતિ થાય. જે ઉર્ધ્વરેખા અનામિકા પર્યત ગઈ હોય તે મેટે વેપારી તેમજ ધનવાન થાય છે. અને જે કનિષ્ઠિકા ભણી ગઈ હોય તો તે રેખાથી માટે શ્રેષ્ઠ પંડિત થાય છે. ઉષ્ણ, લાલ, પરસેવા વગરને, છિદ્ર રહિત, સિનગ્ધ, માંસલ, તાંબા જેવા નખવાળ, લાંબી આંગળીઓવાળે અને વિશાળ હાથ વખાણવા લાયક છે. હાથનું તળીયું લાલ હોય તે ધનવાન, વાદળી હોય તે દારૂડીઓ, પીળું હોય તો અગમ્યાગમન કરનાર અને કાળું હોય તે નિર્ધન થાય છે. મૅણિબંધ થી પિરેખા, કરભથી વૈભવ અને આયુષ્યની એમ બે રેખાઓ આમ ત્રણ રેખાએ તર્જની અને અંગુઠા વચ્ચે જાય છે. જેમને આ ત્રણે રેખાઓ સંપૂર્ણ અને દેષ રહિત હોય તેમને ત્ર ધન તથા આયુષ્યનું સંપૂર્ણ સુખ હોય છે. અન્યથા નથી હોતું. જેને કાવ્ય અને પિતાની રેખાઓ અંત ભાગમાં (તર્જની અને અંગુઠાના વચ્ચેના ભાગમાં) મળેલી હોય છે. તેઓ ઘર બંધાવે છે. જે છુટી હોય તે તેમને ઘરભંગ થાય છે. આયુરેખા અને કનિષ્ઠિકાના મૂળ વચ્ચેના ભાગમાં આવેલી રેખાઓ સ્ત્રી લાભની રેખાએ છે. આ રેખાઓ જે સરજ હોય તે સ્ત્રીએ સચ્ચરિત્ર હોય છે વિષમ હોય તે દુશ્ચરિત્ર હોય છે. મણિબંધથી લઈ આયુરેખા સુધી (કરભ ઉપર) આવેલી રેખાઓ જે સ્પષ્ટ હોય તો તેટલા ભાઈ અને અસ્પષ્ટ હેાય તે હેનની દ્યોતક છે. આયુરેખામાંથી મણિબંધ ભણી જનારાં પલ્લવે (શાખાઓ) હોય તે સંપત્તિસૂચક છે. અને જે તે પલ આંગળીઓ ભણી જતાં હોય તે વિપત્તિ આપનારું છે. અંગુઠાના મધ્ય (પર્વ) માં યવ હોય તે વિદ્યા, ખ્યાતિ અને વૈભવના સૂચક છે. જે જમણા અંગુઠામાં હોય તે શુકલપક્ષમાં જન્મ જાવે. ડાબા અંગુઠામાં યવ હાય તે કૃષ્ણ પક્ષમાં જન્મ જાણ. અંગુઠાના મૂળમાં યવ હોય તો જેટલા યવ તેટલા છે. થશે એમ સમજવું. અનામિકાના મૂળમાંથી નીકળી છેક ઉપરનાં પર્વ સુધી ઉર્ધ્વરેખા
SR No.009533
Book TitleJain Samudrik Panch Granth
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherSarabhai Manilal Nawab
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Devnagari & Jyotish
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy