SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ૨ સામુદ્રિકતિલક વાળી પૃથ્વીના સ્વામી થાય છે. સરખા અને સુંદર વૃષણવાળે રાજ્ય મેળવે છે. લબડો પડેલા લાગતા વૃષણવાળો દીર્ધાયુ થાય છે. એક જ વૃષણ હોય તે જલમાં ડુબવાથી મૃત્યુ થાય છે. અને તેવા માણસે પોતાના કુલને નાશ પણ કરે છે. જે નાના મોટા વૃષણ હોય તે સ્ત્રીલેલુપ થાય છે. જેને જમણે વૃષણ ઉંચે હોય તેને પહેલો પુત્ર થાય છે. અને જેને ડાબે ઉંચે હોય તેને દુ:ખ પડે છે, અને પ્રથમ છોકરી થાય છે. સુક્કા કે જાડા વૃષણ હોય તો નિર્ધન થાય છે. જે ઘોડાના જેવા વૃષણ હોય તો સુંદર સ્ત્રીમાં આસક્ત રહે છે. જે અડધા અડધા વૃષણ હોય તે પુરુષો અલ્પાયુ થાય છે. બહુ ઉંચી થએલી, બહુ દબાઈ ગએલી, બહુ લાંબી કે બહુ નાની ન હોય પરંતુ સારી કમળ દેખાતી અને ઉષ્ણ રહેતી ઈન્દ્રી ધનસંપત્તિવાળા માણસોને હોય છે. વળી આવા માણસની ઈન્દ્રી મજબુત, કમળ, ગોળ અને ન દેખાતી હોય તેવી હોય છે. જેનું શિશ્ન બસ્તી સાથે મેટી ગાંઠ વળીને જોડાએલું હોય તે ઘણે સુખી થાય છે. અને વાળથી ઢંકાએલું રહે તો રાજા થાય. (જોડાણને ભાગ વાળવાળો હોય તે શુભ લક્ષણ છે;) જેઓને વાઘ, ઘેડો કે સિંહના જેવું શિશ્ન હોય તેઓ ઘણું ખરું રાજા થાય છે. (શિશ્ન નસો વગરનું હોય તો સારું એમ પહેલા લેક ૭૩ માં કહ્યું છે.) શિશ્ન નસોવાળું દેખાતું હોય છતાં જે તેના ઉપરની ચામડી બહુ જ પાતળી (નહિં જેવી) હોય શિશ્ન પાતળું ચકખું, નાનું, મૃદુ અને દુર્ગધ રહિત તે તે સૌભાગ્ય આપનાર તેમજ ધન આપનાર છે. લિંગ નાનું હોય તો ધનાઢય થાય નસો તરી આવતી હોય તો સંતાન વગરને અથવા બહુ જ થોડાં છોકરાંવાળો થાય. જે જમણી બાજુ નમેલું રહેતું હોય તો પુત્ર અને ડાબી બાજુ નમેલું રહેતું હોય તે પુત્રીને પિતા ધાય છે. જેને સરખી બેઠકે બેસતાં પગની ઘૂંટીઓને લિંગનો સ્પર્શ ન થતો હોય તેને સુખી જાણુ. જે બેઠા પછી લિંગ જમીનને અડકતું હોય તો જાવું કે તે દુઃખી જ થશે. દરિદ્ર પુરુષોનાં શિશ્ન જાડાં, લબડી પડેલાં, અદાર, લાંબાં, શિથિલ, મેલાં, ભાગેલાં અને સદાકાળ નિદ્રાવસ્થામાં પડ્યાં રહેનારાં હોય છે. મોટા માથાવાળું અને પહોળા છિદ્રવાળું શિશ્ન હોય તે દારિદ્ર થાય છે. અને જે શિશ્ન અતિ કેમલ હોય તે મનુષ્ય પ્રમેહ ઈત્યાદિ રેગથી મરણ પામે છે. જેને લિંગના મણિ ઉપર લીલી રેખાઓ (નોને લઈને) દેખાતી હોય અને મણિ સરખે ઉઠાવદાર તથા રવૈયાના અગ્રના જેવા દેખાતા હોય તે માણસ જમીનને સ્વામી (રાજ, માંડલિક) થાય છે. લાલ રંગના મણિશો ધનવાન, અને ખીલેલા જપાના ફૂલ ( લાલ રંગનું જાસુદનું ફૂલ) જે હોય તે રાજા થાય છે. ચિકણે અને મૃદુ મણિ હોય તે સુખી તથા વચ્ચેથી ઉન્નત અને મણિ હોય તે પશુઓવાળો થાય છે. જેઓને લિંગના મણિ સેનું, ચાંદી, મોતી અગર પ્રવાલ જેવા દેખાતા હોય તેઓ સમુદ્ર પર્યન્તની ભૂમિના માલિક થાય છે. જેને મણિ રૂક્ષ દેખાતે હોય તે દારિદ્રવાળે જાણ. રૂખ જેવો લાગતું હોય અથવા ફીકકો લાગતે હોય
SR No.009533
Book TitleJain Samudrik Panch Granth
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherSarabhai Manilal Nawab
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Devnagari & Jyotish
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy