SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જેને સામુદ્રિકના પાંચ થશે ૯૫ નક્ષત્રને કરતલમાં સ્થાપી, જે દેશમાં જે નક્ષત્ર આવતું હોય તેના ઉપરથી વિચાર કર. ૩૫-૩૬ मङ्गलेन समाक्रान्तं दृष्टं वा त्रिपुरान्तगम् । तत्र देशे भूमिकम्पो मार्खाि राज्यविग्रहम् જે અંગુલી પર્વને મંગળ જેતે હોય અથવા જેને આક્રાન્ત કરી રહ્યો હોય (અર્થાત્ મંગળથી દષ્ટ કે યુક્ત નક્ષત્ર ક્યાં પડયું હોય) તે દિશામાં ભૂમિકંપ, રોગચાળો અથવા રાજવિગ્રહ (લડાઈ) થશે એમ કહેવું. ૩૭ शनिना यत्समाकान्तं दृष्टं दक्षिणदिग्गतम् । . - तत्र देशे भयं रोगो दुर्भिक्षं राज्यविग्रहम् જે વિભાગ શનિથી આક્રાન્ત થયો હોય અથવા દઇ હોય, અને દક્ષિણ દિશામાં રહેલાં નક્ષત્રના દેશો જે હોય, તેમાં ભય, રેગ, દુભિક્ષ અને લડાઈ થાય છે. ૩૮ यत्र राहुः समाक्रान्तो देशभं तत्र संभवेत् । उत्पातौ विग्रहो घोरश्चक्रमस्य तु भौमवत् જે સ્થાનમાં રાહુ આવતો હોય, તે દેશમાં મંગળની માફક ઉત્પાત તથા ઘોર વિગ્રહ થાય છે. ૩૯ अनन्तवीर्यस्य सोयवाः प्राग्विनिवेदिताः। तदेखायाः प्रमाणेन ज्ञेये व्यंजनलक्षणे || ૪૦ || હાથ ઉપરથી પુરુષના શરીરના અવયવો પહેલાં કહ્યા છે, તે પ્રમાણે હાથમાં રહેલી રેખાઓના શુભાશુભદ્વાર તે તે અવયવનું સ્વત્વ, દીર્ઘત્વ, નિરોગત્વ ઈત્યાદિ જાણ. ૪૦ यत्रोवरेखा तत्रस्याच्छुभं वान्यं ततोऽशुभम् । यद्धा राहोः शनेऽपि अश्विन्यादि भचक्रके છે ? . तारादि द्वादशांशेषु यत्र तत्राशुभं दिशेत् । पागुक्तावयवापेक्षं शुभं तु गुरुभे स्मृतम् | ૨ | હાથમાં જ્યાં ઉર્ધ્વબા હોય તેના અવયવનું શુભફળ કહેવું. અને બીજાનું અશુભ કહેવું કનિષ્ઠિકા આદિ આંગળીઓમાં જ્યાં શનિ અને રાહુ (નક્ષત્રચક્ર પ્રમાણે) આવતા હોય તે અવયવનું અશુભ કહેવું અને જ્યાં ગુરુ આવતો હોય, તે અવયવનું ફળ શુભ જાણવું. ૪૧-૪૨
SR No.009533
Book TitleJain Samudrik Panch Granth
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherSarabhai Manilal Nawab
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Devnagari & Jyotish
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy