________________
શ્રી દશવૈકાલિક સૂત્રનું સમ્મતિ પત્ર.
શમણું સંઘના મહાન આચાર્ય આગમ વારિધિ સર્વતન્ત સ્વતંત્ર જૈનાચાર્ય પૂજ્યશ્રી આત્મા રામજી મહારાજે આપેલા સમ્મતિ પત્રને ગુજરાતી અનુવાદ.
મેં તથા પતિ મુનિ હેમચંદ્રજી એ પંડિત મૂલચંદ વ્યાસ (નાનીર માવાહ વાળા) દ્વારા મળેલી પંડિત રત્ન શ્રી. ઘાસીલાલજી મુનિ વિરચિત સંસ્કૃત અને હિન્દી ભાષા સહિત શ્રી દશવૈકાલિક સૂત્રની આચાર મણિમંજૂષા ટીકાનું અવલોકન કર્યું. આ ટીકા સુંદર બની છે. તેમાં પ્રત્યેક શબ્દને અર્થ સારી રીતે વિશેષ ભાવ લઈને સમાવવામાં આવેલ છે. - તેથી વિદ્વાને અને સાધારણ બુદ્ધિવાળાઓ માટે પરમ ઉપકાર કરવાવાળી છે. ટીકાકારે મુનિના આચાર વિષયને સારે ઉલ્લેખ કરેલ છે. જે આધુનિક મતાવલંબી અહિંસાના સ્વરૂપ ને નથી જાણતા, દયામાં પાપ સમજે છે તેમને માટે
અહિંસા શું વસ્તુ છે તેનું સારી રીતે પ્રતિપાદન કરેલ છે. વૃત્તિકારે સૂત્રના પ્રત્યેક વિષયને સારી રીતે સમજાવેલ છે. આ વૃત્તિના અવકનથી વૃત્તિકારની અતિશય ગ્યતા સિદ્ધ થાય છે.
આ વૃત્તિમાં એક બીજી વિશેષતા એ છે કે મૂલ સૂત્રની સંસ્કૃત છાયા હેવાથી સૂત્ર, સુત્રનાં પદ અને પદચ્છેદ સુબોધ દાયક બનેલ છે.
પ્રત્યેક જીજ્ઞાસુએ આ ટીકાનું અવલોકન અવશ્ય કરવું જોઈએ. વધારે શું કહેવું. અમારી સમાજમાં આવા પ્રકારના વિદ્વાન મુનિ રનનું દેવું એ સમાજનું અહોભાગ્ય છે. આવા વિદ્વાન મુનિ રત્નના કારણે સુપ્તપ્રાય સુતેલે સમાજ અને લુપ્તપ્રાય એટલે લેપ પામેલું સાહિત્ય એ બંનેને ફરીથી ઉદય થશે. જેનાથી ભાવિતાત્મા મોક્ષ એગ્ય બનશે અને નિર્વાણ પદને પામશે. આ માટે અમે વૃત્તિકારને વારંવાર ધન્યવાદ આપીએ છીએ.
વિક્રમ સંવત ૧૯૯૦ ફાલ્ગન શુકલ. | ઇઈ
તેરસ મંગળવાર (અલવર સ્ટેટ)
ઇવજઝાય જઈશું સુણી આયારામાં પચાઈએ