SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ વીત્યા પછી ભાદરવા સુદે પાંચમે સ વત્સરીપર્વ હોય છે તે દિવસે અને તેની પહેલાના સાત દિવસ, એ આઠેય દિવસ ઉપજાવ કહેવાય છે આ આઠ દિવસમાં વર્તમાન નીર્થના પ્રવર્તક ભગવાન શ્રી મહાવીર સ્વામીનું ચરિત્ર શ્રવણ કરાય છે. આ માટે આ અધ્યયનનું નામ “પૂUT' છે આમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરિત્રનું વર્ણન છે. પ્રત્યેક મુનિએ યાચિત રીતે પર્યુષણપર્વનું આરાધન કરવું જોઈએ આ ઉપર કહેલા અધ્યયન દ્વારા ઉપદેશાએલા આચારથી જે વજિત છે તે મહામહનીય કર્મોનુ ઉપાર્જન કરે છે આ અધ્યયનમા કયા કયા કારણોથી મહાહનીય કર્મોનું અર્જન થાય છે તેનું વર્ણન છે. આથી આ નવમા અધ્યયનું નામ “મદામોદનીયસ્થાન છે સાધુઓ માટે ઉચિત છે કે મહામહનીય કર્મના ઉત્પન્ન થવાના કારણે સારી રીતે સમજીને તેમનાથી દૂર રહેવું આના ત્રીસ ભેદ છે આ ત્રીસેય ભેદને જ્ઞ પરિજ્ઞાથી જાણી લઈને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરીને મુનિજન તેનાથી દૂર રહે છે પરંતુ જે કઈ સાધુ કે સાધ્વી કદાચિત્ મોહનીય કર્મના વશથી તપસ્યા કરતા થકા તેના હૃદયમાં કામગની તીવ્ર અભિલાષા ઉત્પન્ન થઈ જાય છે ત્યારે તે નિદાન કરે છે. નિદાનના પ્રભાવથી તે મોક્ષમાર્ગથી વિચલિત થઈ જાય છે, તથા અનન્ત સ સાર ચક્રમાં પરિભ્રમણ કરે છે મેક્ષમહેલની નિસરણીસમાન રત્નત્રયથી નીચે પડી જાય છે. આ માટે મેક્ષાર્થિઓએ નિદાન ન કરવું જોઇએ આ હેતુથી આ દશમા અધ્યયનમાં નવ નિદાનેનુ વર્ણન કરવામાં આવ્યું છે. માટે આ અધ્યયનનું નામ નિર્વાના છે. આનું “ગતિસ્થાન આવું પણ નામ છે. કેમકે “ગ્રાતિ ને અર્થ થાય છે “મ” તે લાભ, દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકાર હોય છે દ્રવ્યથી-આગામી કાલમાં જન્મ લેવાને લાભ, કારણ કે–નિદાન કરવાવાળાને નિદાનનું ફળ ભેગવવા માટે અવશ્ય જન્મ ગ્રહણ કરે પડશે ભાવથી-જ્ઞાનાદિને લાભ આ બેઉ પ્રકારના લાભનું વર્ણન આમાં હોવાથી આનું નામ “માતા ” પણ છે. અથવા “ગતિનૂત્તક વાઢ” આ વચનથી “ગાયતને અર્થ થાય છે-ઉત્તરકાલ–અર્થાત્ ભવિષ્યકાલ, તેનુ જે સ્થાન તે “ગતિસ્થા કહેવાય છે અર્થાત જે કર્મ-નિદાનકર્મનું પરિણામ ઉત્તરકાલ-આગામી જન્મમાં થતુ હોય તેને “ચાતિયા' કહે છે આ દસમા અધ્યયનમાં ઉત્તર જન્મમાં મળવાવાળા નિદાનકર્મના ફળનુ પ્રતિપાદન કરવામાં આવ્યું છે માટે આનુ નામ “ગાયતસ્થાન છે. આ નિદાનોનું સ્વરૂપ જાણી લઈને સાધુઓએ તેમનાથી સર્વથા દૂર રહેવું જોઈએ આ પ્રકારે આ “શાથી ” પ્રત્યેક મેક્ષાભિલાષીને માટે પરમ ઉપાદેય (મેળવવા લાયક) છે પ્રત્યેક શ્રાવક તથા સાધુએ આને સ્વાધ્યાય કરે જોઈએ
SR No.009359
Book TitleDashashrut Skandh Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages497
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashashrutaskandh
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy