SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના વિપાકસૂત્ર જૈન આગમનું અગીઆરમું સૂત્ર છે. એ કર્મવિપાદશાને નામે પણ ઓળખાય છે. વિદ્વાન ટીકાકાર મુનિ શ્રી ઘાસીલાલજી મહારાજ આરંભ વાકમાં કહે છે તેમ એમાં જીવનાં શુભઅશુભ કર્મોના ફળભૂત વેદનારૂપ વિપાકનું વર્ણન છે. આ સૂત્રના પ્રથમ શ્રુતસ્કન્ધ અને દ્વિતીય શ્રુતસ્કન્દ, એવા બે વિભાગો છે. એમાં પ્રથમ તસ્કન્ધ દુખવિપાકઔધ છે અને તે ખૂબ વિસ્તારવાળે છે, જ્યારે બીજો શ્રુતસ્કન્ધ સુખવિપાકઔધ છે, જે એકદમ ટૂંકે છે. પ્રથમ વિભાગના વિષયભૂત પાપી જીવે અતિ દુઃખ ભેગવી છેવટે આત્મપુરુષાર્થથી મુકત થાય છે, જ્યારે બીજા વિભાગના વિષયભૂત બધા પુણ્યશાલી જીવ–આત્માઓ મહાવીર સ્વામીના બેધથી આણુવ્રતધારી શ્રાવક ધર્મ અંગીકાર કરી એ જ ભવમાં નિગ્રંથ ધર્મ સ્વીકારે છે તેઓ છેડા ભો કર્યા બાદ મુકત થશે. દરેક વિભાગનાં કુલ દશ અધ્યયને છે. જંબુસ્વામીએ મહાવીર સ્વામીના પાંચમા ગણધર ગુરુ સુધર્મા સ્વામીને સૂત્રનાં અધ્યયને વિષે પ્રશ્નો કરેલા તેના ઉત્તરરૂપે આ દશ અધ્યયન કહેવામાં આવ્યાં છે. આખું સૂત્ર ગદ્યમાં છે અને સમાસે વગેરે તેમાં બહુ નથી. ભાષાષ્ટિએ પણ તેને અભ્યાસ આવશ્યક છે. આ સૂત્રની સંસ્કૃત ટીકા અભયદેવસૂરીએ કરી છે. વિક્રમ સંવત ૧૫૮૨માં જાંબુનિવાસી શ્રીમાળી અરિસિંહ રાણાએ અગીઆર અંગેની પ્રતે લખાવી હતી તેમાં એક પ્રત વિપાર્વની છે. પ્રાચ્યવિદ્યાવિશારદ વેબરે Indian Antiquary" ના સત્તરમા અને વસમા ગ્રન્થમાં આ સૂત્ર વિષે વિવેચના કરી છે. વયેવૃદ્ધ મુનિ શ્રી ઘાસીલાલજીસંપાદિત આ સૂત્રમાં પાઠ, છાયા, અન્વય, સંસ્કૃત ટીકા અને ગૂજરાતી હિન્દી અનુવાદ તથા ભાવાર્થમાં જૈન આગમ સાહિત્યના પ્રકશનના ઈતિહાસમાં અનન્ય સ્થાન ધરાવશે. વિપાકસૂત્ર અનેક રીતે અભ્યાસ માગે છે. મહાવીરસ્વામી ગૌતમ આદિ ગણધર સહિત ભરતક્ષેત્રની જે જે નગરીઓમાં વિચર્યા હતા તેમનાં નામ, જે
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy